ગુપ્ત નવરાત્રીની છે આજે સાતમી તિથી, માતા પાર્વતિની થાય છે પૂજા,જાણો…

  • ગુપ્ત નવરાત્રીની સાતમી તિથી 
  • માતા પાર્વતિની થાય છે પૂજા
  • ધૂમાવતી સ્વરૂપમાં થાય પૂજા 

માન્યતા છે કે કોઇ સુહાગણ ધૂમાવતી દેવીની પૂજા નથી કરતી, દૂરથી જ તેમના દર્શન કરી લે છે. ગુપ્ત નવરાત્રિની સાતમી તિથીના દિવસે ધૂમાવતી દેવીના પાઠ અને સામૂહિક જપ-અનુષ્ઠાન કરવામાં આવે છે.

  • માતા પાર્વતિનું ધૂમાવતી સ્વરૂપ અત્યંત ઉગ્ર છે.
  • માતા ધૂમાવતીનું વાહન કાગડો છે.
  • તે શ્વેત વસ્ત્રો ધારણ કરે છે અને ખુલ્લા વાળમાં હોય છે.

માતા ધૂમાવતીનો મંત્ર 
ॐ धूं धूं धूमावत्यै फट्।।
धूं धूं धूमावती ठ: ठ:।

રુદ્રાક્ષની માળા લઇને 108 વાર, 21 કે 51 વાર આ મંત્રનો જાપ કરો.

બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સ્નાન કરીને પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરી જળ, પુષ્પ, સિન્દુર, કંકુ, ચોખા, ફળ, ધૂપ, દીપ તથઆ નિવેધ વેગેરેથી માતાની પૂજા કરવી જોઇએ. મા ધૂમાવતીના જાપ કરવાથી મનુષ્યના દરેક પાપ દૂર થાય છે અને દુઃખ દરિદ્રતા દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.