તેલંગણામાં થયું હેલીકોપ્ટર ક્રેશ : બે પાયલટના ઘટનાસ્થળે મોત નિપજ્યા જાણો વિગતે

તેલંગણાના નલગોંડા જિલ્લામાં શનિવારે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે, જેમાં ટ્રેની પાયલટ સહિત બે પાયલટના મોત થઈ ગયા છે. દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જૂનસાગર બાંધ નજીક પેદ્દાવુરા બ્લોકના તુંગતુર્થી ગામમાં ઘટી છે. જોરદાર ધમાકા સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ સમયે પોલીસ અને મેડિકલ ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. માનવામાં આવી રહ્યું છે કે, ક્રેશ થયેલું હેલીકોપ્ટર ટ્રેની પાયલટ ઉડાવી રહ્યો હતો. વિમાન હૈદરાબાદની એક પ્રાઈવેટ અકેડમીનું વિમાન હતું. અત્યાર સુધી મૃતકોની ઓળખાણ થઈ શકી નથી.અને આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરથી ઘણો ધુમાડો નિકળી રહ્યો હતો. વીડિયોમાં અમુક ગામ લોકો દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટરમાંથી પાયલટને બહાર કાઢવાની કોશિશ કરતા દેખાઈ રહ્યા છે.અને આ હેલીકોપ્ટર ફ્લાઈટેક એવિએશનના સેસના 152 મોડલ ટૂ સીટર હતું.

પ્રાથમિક તપાસમાં નલગોંડા પોલીસે કહ્યું કે, તેમને પેદ્દાવુર મંડલના તુંગતુર્થી ગામમાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતોએ માહિતી આપી હતી. તેમણે જોયું કે, એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે અને ભયંકર ધુમાડો નિકળી રહ્યો હતો. અને માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું તો, હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને મહિલા પાયલોટનું પણ મોત થઈ ગયું છે.

પોલીસને શંકા છે કે, હેલીકોપ્ટર ખેતરમાં લગાવેલા વિજળીના થાંભલાના તાર સાથે અથડાયું હોય અને આવી દુર્ઘટના બની હોય. હેલીકોપ્ટર હૈદરાબાદ સ્થિત ફ્લાઈટેક એવિએશનલ એકેડમીનું છે.અને નલગોંડાની સરહદથી આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનું નાગાર્જૂનસાગરમાં તેનું સંચાલન પણ છે. જ્યાંથી હેલીકોપ્ટરે ઉડાન ભરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.