હેલિકોપ્ટર ક્રેશ : કોની કોની ભૂલને કારણે થાય છે આ પ્રકારની દુર્ઘટના, શું VVIP પાયલોટ પર દબાણ કરે છે ઉડાન ભરવાનું ?

એરફોર્સના MI-17V5 હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં

શા માટે થાય છે હેલિકોપ્ટર ક્રેશ:કોની ભૂલને કારણે થાય છે આ દુર્ઘટના, શું VVIP પાયલોટ પર ઉડાન ભરવાનું દબાણ કરે છે- આવી દુર્ઘટનામાંથી ક્યારે શીખ લેવાશે

એરફોર્સના MI-17V5 હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં

બુધવારે એરફોર્સના MI-17V5 હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં છે. દુર્ઘટના પછી એક પછી એક સવાલો શરૂ થઈ ગયા છે. હવે એમ પૂછવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કઈ રીતે, શા માટે અને કોની ભૂલથી થઈ? કુન્નુરના નીલગિરિના પહાડોમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં જંગલ છે અને બુધવારે અહીંનું વાતાવરણ ખૂબ જ ખરાબ હતું. બુધવારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અહીં વાદળો ઘણાં નીચાં રહેશે, ભેજ પણ વધુ રહેશે અને હળવો વરસાદ થશે.

અત્યારસુધીના આ દુર્ઘટનાના જે ફોટોગ્રાફ્સ અને વીડિયો મળ્યા છે એની પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી, હવામાન એવું જ હતું. હેલિકોપ્ટર ક્રેશ થયું અને ઝાડ પર પડ્યું. પછીથી એમાં આગ લાગી ગઈ હતી. હવે સવાલ એવો છે કે હવામાન ઉડાન ભરવાલાયક હતું જ નહિ તો હેલિકોપ્ટરે કોના કહેવા પર ઉડાન ભરી? શું પાયલોટ પર ટેક-ઓફ માટે દબાણ કરવામાં આવ્યું હતું?

સિંધિયા મામલામાં પણ આમાં જ થયું હતું

30 સપ્ટેમ્બર 2001ના રોજ પૂર્વ સિવિલ એવિએશન મિનિસ્ટર માધવરાવ સિંધિયાનું ક્રેશમાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ મુજબ, ખરાબ હવામાન છતાં તેમણે કાનપુર જવાનો નિર્ણય કર્યો હતો.
3 માર્ચ 2002ના રોજ લોકસભા અધ્યક્ષ બાલયોગીનું પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. એ સમયે જોરદાર વરસાદ પડી રહ્યો હતો.

એપ્રિલ 2011માં અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર તવાંગમાં ક્રેશ થયું હતું. એ સમયે પણ તવાંગના પહાડી વિસ્તારનું હવામાન ખૂબ ખરાબ હતું.
નેતા એમ કહી શકે છે કે તેમણે ક્યારે પણ ક્રૂ કે પાયલોટને ઉડાન ભરવા મજબૂર કર્યા નથી. તપાસ રિપોર્ટ્સમાં પણ આ પ્રકારની નેગેટિવ કેમેન્ટ્સ સામેલ કરવામાં આવતી નથી. જોકે આવું ભારતમાં જ જોવા મળે છે એવું પણ નથી. એપ્રિલ 2010માં પોલેન્ડના રાષ્ટ્રપતિ લીચ કાયન્સ્કીનું હેલિકોપ્ટર TU 154 રશિયામાં ક્રેશ થયું હતું. તપાસમાં એ વાત પ્રકાશમાં આવી કે પાયલોટને ખૂબ જ ખરાબ મોસમમાં લેન્ડિંગ માટે મજબૂર કરવામાં આવ્યો હતો.

કુન્નુરમાં શું થયું હશે

હવામાન ખરાબ હતું. વાદળોની ઊંચાઈ ખૂબ જ ઓછી હતી. આ કારણે જ કદાચ હેલિકોપ્ટર ખૂબ જ ઓછી ઊંચાઈ પર ઊડી રહ્યું હતું. આ દરમિયાન એ ઝાડ પર પડ્યું અને ક્રેશ થયું હતું. બીજી વાત એ પણ છે કે વરસાદ પડી રહ્યો હતો અને વિઝિબિલિટી ઓછી હતી. સામાન્ય રીત એવું બન્યું છે કે જ્યારે વાદળ નીચાં હોય અને વરસાદ પડી રહ્યો હોય તો આ પ્રકારની દુર્ઘટના બને છે. સવાલ એ છે કે શું કોર્ટ ઓફ ઈન્કવાયરી ટ્રાન્સપરન્ટ હશે? તપાસમાં એ વાતને પણ સામેલ કરવામાં આવશે કે ખરાબ હવામાન હોવા છતાં ક્યાંક પાયલોટ પર ઉડાન ભરવાનું દબાણ તો નહોતુંને?

શા માટે થાય છે હેલિકોપ્ટર ક્રેશ:કોની ભૂલને કારણે થાય છે આ પ્રકારની દુર્ઘટના, શું VVIP પાયલોટ પર ઉડાન ભરવાનું દબાણ કરે છે- આવી દુર્ઘટનામાંથી શીખ ક્યારે લેવાશે
નવી દિલ્હી2 કલાક પહેલા
એરફોર્સના MI-17V5 હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં

MI-17 આધુનિક અને પાવરફુલ હેલિકોપ્ટર

M-17માં પાવરફુલ એન્જિન છે અને એનું લેન્ડિંગ ખૂબ જ સેફ હોય છે. જો એ નીચે ઉડાન ભરતું હોય તોપણ એ ઝાડ સાથે અથડાઈ શકે છે. આ અંગે હાલ માત્ર કલ્પના જ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખૂબ અનુભવી પાયલોટ પણ ભૂલ કરી બેસે છે. એ બાબત પણ જોવી જોઈએ કે શું બંને પાયલોટ બહાર જ જોઈ રહ્યા હતા કે તેમની નજર માત્ર ફલાઈટના ડિસ્પ્લે પર જ હતી. કુન્નુર જેવા પહાડી અને જંગલી વિસ્તામાં તો આ ખૂબ મુશ્કેલ છે.

MI-17 એન્જિનની મદદ માટે ફુલ ઓથોરિટી ડિજિટલ ઈલેક્ટ્રોનિક કન્ટ્રોલ સિસ્ટમ હોય છે. પાયલોટ ખૂબ જ ઝડપથી હેલિકોપ્ટરને ઊંચાઈ પર લઈ જઈ શકે છે. જોકે આ બાબતોનો જવાબ તપાસ પછી મળી શકે છે.

VVIPs ની ફરજો

VVIPs એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમનાથી વધુ માહિતી કોકપિટમાં બેઠેલા લોકોને હોય છે, કારણ કે તે પોતાના કામના માસ્ટર હોય છે. પછી એ સિવિલ એવિએશનની બાબત હોય કે મિલિટરીની. આ બાબત પણ કન્ટ્રોલ્ડ ફ્લાઈટ ઈનટુ ટેરેનનો છે. આ સ્થિતિમાં પણ ઉડાન ન ભરવી જોઈએ. ભલે પછી દબાણ કેમ ન કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.