હિંદુ મહાસભા અધ્યક્ષ ચક્રપાણીનો પ્રહાર, કહ્યું- અમે તો સાંભળ્યું છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે

કોંગ્રેસ સેવાદળની બુકલેટમાં ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક શારીરિક સંબંધો હોવાનું કેહતા ભારે વિવાદ થયો છે. આ મામલે અખિલ ભારતીય હિંદૂ મહાસભાએ વળતો પ્રહાર કર્યો છે. અખિલ ભારતીય હિંદૂ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ રાહુલ ગાંધીને જ નિશાન બનાવ્યા છે.

સ્વામી ચક્રપાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, અમે તો એમ પણ સાંભળ્યુ છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે. આ અગાઉ ચક્રપાણીએ રાહુલ ગાંધી દ્વારા સાવરકરને લઈને આપેલા નિવેદનને લઈને ફરિયાદ નોંધાવી હતી.

હિંદુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, યે પૂર્વ મહાસભા અધ્યક્ષ વીર સાવરકર વિરૂદ્ધ હાસ્યાસ્પદ આરોપ છે. જાહેર છે કે, અમે તો એમ પણ સાંભળ્યું છે કે, રાહુલ ગાંધી સમલૈંગિક છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ સેવાદળે વિનાયક સાવરકરને લઇ એક પુસ્તક છાપ્યું છે, જેમાં કેટલીય એવી ટિપ્પણીઓ કરાઇ છે જેના પર હોબાળો થઇ ગયો છે. આ પુસ્તકમાં દાવો કરાયો છે કે વિનાયક સાવરકર અને નાથુરામ ગોડસેમાં સમલૈંગિક સંબંધ હતા. ત્યારથી તેના પર વિવાદ થઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.