‘હું ખુબ જ ખુશ-સુરક્ષિત છું, માતાપિતાના આક્ષેપો ખોટા, ‘મારુ અપહરણ નથી થયું, હું પ્રવાસમાં છું’

અમદાવાદ શહેરને અડીને આવેલા હિરાપુરમાં નવા બનેલા આશ્રમમાં પોતાની બે પુત્રીને પરત મેળવવા માટે અને આશ્રમમાં ચાલતા ગોરખધંધા અંગે શર્મા દંપતી ત્રીજા દિવસે પોલીસ સ્ટેશને અડિંગો જમાવીને બેઠા છે, ત્યારે નિત્યાનંદીતાએ સોશિયલ મીડિયાથી મદદથી મીડિયાને માહિતી આપી હતી.

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, નિત્ય નંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી.

નિત્યાનંદીતાએ સોશિયલ મીડિયાની મદદથી વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘હું મરજીથી પ્રવાસે નીકળી છું, હું ખુબ જ ખુશ છું. મારુ અપહરણ નથી થયું. હું હાલ પ્રવાસમાં છું. મારા માતા- પિતા તકલીફ ઉભી કરી રહ્યા છે. પરિવારની સમસ્યા જાહેર કરી રહ્યા છે. જગદીશ મારી માતા સાથે રહેતો હતો. ‘મારા પિતાએ નાણાની ઉચાપત કરી ત્યારથી વિવાદ સામે આવ્યો છે. મારૂં અપહરણ થયું હોવાની વાતો પાયા વિહોણી છે. મેં મરજીથી આ માર્ગે પસંદ કરેલો છે. મારા માતાપિતાના તમામ આક્ષેપો ખોટા છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.