હવાતિયાં મારવામાં ભાજપ નંબર વન, અમદાવાદને સિંગાપોર બનાવવાનો વાયદો આપી બનાવી દિધુ ખાડાબાદ

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપાએ 30 વર્ષથી સત્તા મેળવી તેમાં પ્રજાને વચનો આપ્યા હતા જે આજ સુધી પૂરા થયા નથી. અમદાવાદને સિંગાપોર કે ચીનનું શાંઘાઈ બનાવવાનું હતું પણ ખાડાબાદ બનાવી દેવાયું છે.

અંદાજ મુજબ ભાજપના શાસકોએ 13 વર્ષમાં રૂ.16 હજાર કરોડના ખોટા વાયદા કર્યા છે. જે આજ સુધી પૂરા કર્યા નથી. રૂ.16 હજાર કરોડના કામો કર્યા નથી. જે દરેક ચૂંટણીમાં વચનો આપ્યા હતા.

ભાજપાએ 2006-7માં રૂ.1700 કરોડનું અંદાજપત્ર બનાવ્યું પણ કદ ઘટાડી રૂ.1250 કરોડ કરવામાં આવ્યું હતું. પણ ખરેખર કામ તો રૂ.1140 કરોડના થયા હતા. જેમાં 10 ટકા અધિકારીઓ અને 10 ટકા રાજકીય વ્યક્તિઓનું કટકી કૌભાંડ હોય છે.

પાણી, ડ્રેનેજ, આરોગ્ય, લાઈટ, જાહેર પરિવહન, ટ્રાફિક, શિક્ષણ, સ્વચ્છતા આપી શકતાં નથી. અમદાવાદ ધૂળિયુ બની ગયું છે. નાગરિકો તૂટેલા રોડ, વરસાદી પાણીનો ભરાવો, અંધારપટ, રોગચાળો, પ્રદૂષિત પાણી, ગટરના પાણી ઉભરાવવા જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે.

2005થી 2019 સુધીમાં અમદાવાદમાં મૂવિંગ ટાવર, નાઈટ સફારી, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમનો વિકાસ, પૂર્વ વિસ્તારમાં એક હજાર બેડની હોસ્પિટલ, શાહીબાગ અન્ડરપાસમાં વધારાની પાંખ, ચીમન પટેલ બ્રિજમાં વધારાની પાંખ, લાલ દરવાજા ટર્મિનસ ડેવલોપમેન્ટ, ઓનલાઈન ક્વોલિટી મીટર, નહેરુનગર થ્રી લેયર, જલારામ મંદિર પાસે થ્રી લેયર ફ્લાય ઓવર, પાંજરાપોળ-સીએન. વિદ્યાલય ફ્લાય ઓવર, સિટી પીકનિક પોઈન્ટ, વીજળીઘરથી કાલુપુર એલિવેટેડ કોરીડોર, ડિઝાઈન સેલની રચના, પાંચ ફૂટ ઓવર બ્રિજ સહિતની અનેક જાહેરાતો ભાજપે કરી હતી. એક પણ ન થયું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.