હું ચૌધરી સમાજના મતોના કારણે જ વિજયી રહ્યો છું જાણો કોણે કહ્યું એવું???

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચૌધરી સમાજ દ્વારા સ્નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અખિલ આંજણા યુવક મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિતના ભાજપના અને ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૌધરી સમાજને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું અને તેમણે એવું પણ કહી દીધું કે, ચૌધરી સમાજના મતના કારણે હું જીત્યો છું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંમેલનમાં નિવેદન કરતાં જણાવ્યું હતું કે, ચૌધરી સમાજ મહેનતુ સમાજ છે અને ચૌધરી સમાજ જેમ જેમ ભણશે તેમ તેમ તમામ ક્ષેત્રમાં આગળ વધતો જશે અને આજે બનાસ ડેરીનો વિશ્વમાં ડંકો વાગે છે અને ઘાટલોડિયામાં ચૌધરી પટેલોએ જેને વોટ આપ્યા છે આજે મુખ્યમંત્રી બની ગયા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું પણ જણાવ્યું હતું કે, અમે તો સાકર જેવા છીએ અમને દૂધમાં ભેળવશો તો એવા થઈ જઈશું.

મહત્ત્વની વાત છે કે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ તમામ સમાજને વિધાનસભાની ચૂંટણી પહેલા રાજી કરવાની તૈયારી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજના સંમેલનો યોજાઇ રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં પાટીદાર સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ અને દલિત સમાજના સામાજિક સંમેલનો યોજાઈ ચુક્યા છે અને તેમાંથી મોટાભાગના સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અથવા તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરી જોવા મળી હોય તેવું પણ સામે આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.