અબોલ જીવ સાથે સાવ આવું કૃત્ય..રાજકોટમાં ગાયને હથિયાર મારી લોહીલુહાણ કરાઈ.પછી….

શહેરના ભગવતી પરાનાં પૂલ નીચે રાત્રે અથવા વહેલી સવારે ત્રણ જેટલી ગાયો સાથે કોઈ અજાણ્યા શખ્સોએ ક્રૂરતા આચરી કોઈ ધારદાર હથિયારના ધા ઝીંકી ગાયોને લોહીલુહાણ કરી દેતાં જીવદયા પ્રેમીમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અબોલ પશુઓ પર અમાનવીય કૃત્યો કરવાની ધટના સતત વધી રહી છે. લોકો હવે પ્રાણીઓ સાથે નિદઁયતા આચરતા અટકતા નથી. ત્યારે રાજકોટમાં અજાણ્યા શખ્સોએ ગાય પર ધારદાર હથિયારો નાં ધા ઝીંકી તેને લોહીલુહાણ કરી દીધી હતી.

ધટના સ્થળે હાજર વ્યક્તિના કહેવા મુજબ, રાત્રિ ના સમયે આ બનાવ બન્યો હતો. સવારે લોકોને જાણ થઈ હતી.ગાયો પર કોણે અને શા માટે હુમલો કર્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ધટના જોનાર લોકો કહ્યું, મોડી રાત્રે ત્રણ જેટલાં શખ્સો ગાય પર ધારદાર હથિયારો સાથે તૂટી પડ્યાં હતાં. જેથી પોલીસે પણ હવે આ હુમલાખોરોને શોધવા તત્પર બની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.