હિન્દૂ ધર્મની જેમ અન્ય ધર્મ સંપ્રદાય વિરુદ્ધ તમારામાં હિંમત હોય તો બોલીને બતાવો : જીતુ વાઘાણી

આમ આદમી પાર્ટીના મંત્રી રાજેંદ્ર પાલે આપેલા હિન્દૂ ધર્મ વિરુદ્ધ નિવેદન બાબતે જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ

News Detail

આમ આદમી પાર્ટીના મંત્રીના વાયરલ વિડીયો મુદ્દે ગુજરાત ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીના મંત્રી રાજેન્દ્ર પાલે આપેલા વિવાદિત નિદેવન બાબતે આજે બીજેપીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત ભાજપના પ્રદેશના શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના દેખાડવાના દાંત અલગ છે અને ચાવવાના દાંત અલગ છે. આપ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલને મંત્રી પદ પરથી હટાવવા ભાજપ દ્વારા માગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના આ નેતાના નિવેદનને કારણે ગુજરાત હલી ગયું છે અને જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે તેમને ભારત તેમજ વિશ્વમાંથી આ બાબતના ફોન આવ્યા હતા. આમ આદમી પ્રતિ ગુજરાત તેમજ દેશની જનતાને છેતરી રહી છે. ગુજરાત રાજ્ય ભક્તિભાવ વાળું રાજ્ય તેમજ સમગ્ર ભારત ભક્તિભાવ વાળો દેશ છે. આપણા દેશના હિન્દૂ સમાજ  જે સહિષ્ણુતાથી રહે છે તેનો લાભ અન્ય લોકો લઇ રહ્યા છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે હું કેજરીવાલને અને અલ્યા મલ્યા અને જમલ્યાની ટોળીને કહેવા માંગુ છું કે આ લોકોને ઓળખ જો અને કોઈ અન્ય ધર્મ સંપ્રદાય વિરુદ્ધ તમારામાં હિંમત હોય તો બોલીને બતાવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.