2020માં સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 15,146 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા, જેમાંથી 7,810 ડ્રાઈવર હતા અને 7,336 મુસાફરો સામેલ હતા

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન અને દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બરના રોજ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, તેના એક દિવસ પછી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે કેટલાક માર્ગ અકસ્માતો માટે નબળા પ્રોજેક્ટ અહેવાલોને જવાબદાર ઠેરવ્યા છે. આ સાથે, તેમણે હાઇવે અને અન્ય રસ્તાઓના નિર્માણ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડીપીઆર) તૈયાર કરવા માટે યોગ્ય તાલીમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે,સરકાર નવી ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપી રહી છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રોડ પ્રોજેક્ટમાં વિલંબના કારણોને ઓળખવા પર ભાર આપતા કહ્યું કે, વિલંબથી બાંધકામની કિંમત વધે છે. જે ચિંતાનો વિષય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, વર્ષ 2021માં દેશભરમાં એક લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતને કારણે મૃત્યુ પામ્યા હતા, જે એક વર્ષમાં અત્યાર સુધીના મૃત્યુની સૌથી વધુ સંખ્યા છે. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી NCRBના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુક ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો.

સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ મુજબ, વર્ષ 2020માં સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 15,146 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા, જેમાંથી 7,810 ડ્રાઈવર હતા અને 7,336 મુસાફરો સામેલ હતા. તે જ સમયે, 2020 માં કુલ 1,31,714 માર્ગ અકસ્માતો થયા, જેમાં 11.5% લોકો મૃત્યુ પામ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.