સુરક્ષામાં ચૂક મામલે થઈ શકે છે કોઈ મોટા એક્શનની તૈયારી ? રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા PM મોદી અને થઈ આ ચર્ચા જાણો વિગતો…

પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ચિંતા વ્યક્ત કરી છે અને આજે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને બન્ને વચ્ચે પંજાબમાં થયેલી સુરક્ષા ચૂક મામલે ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિએ પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ ભવને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પ્રધાનમંત્રી મોદીની તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી અને કાલે પંજાબમાં તેમની સુરક્ષામાં થયેલી ચૂક મામલે વધારે જાણકારી લીધી હતી અને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા લખ્યું કે સુરક્ષા પ્રોટોકોલનું કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં ભરવામાં આવે જેને કારણે ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના ન બને.

દેશના પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ પણ પીએમ મોદીની સુરક્ષા અંગે ઉઠેલા વિવાદને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે ભારતના ટોચના હોદ્દા પર બીરાજમાન વ્યક્તિની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થઈ શકે તેમજ તેમણે કહ્યું કે આપણે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવો જોઈએ.

સિક્યુરીટી પરની કેબિનેટ કમિટીની બેઠક યોજાઈ હતી અને જેમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂકના મામલે ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.