પાલીતાણામાં આઠ દિવસ માં 2 યુવતી ને વિધર્મી યુવકો ભગાડી ગયા જેથી રોષે ભરાયેલા લોકો એ શું કર્યું જાણો ?

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીને ભગાડી જતા લોકોમાં રોષ ફેલાયો છે. આજે હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ સાથે મળી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું

વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન પણ અપાયું હતું

પાલીતાણા શહેરમાંથી છેલ્લા આઠ દિવસ દરમિયાન બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાતા હોબાળો મચ્યો છે. આ ઘટનાના વિરોધમાં વિહિપ દ્વારા આજે પાલીતાણા બંધનું એલાન અપાતા શહેર સજ્જડ બંધ રહ્યું હતું અને હિન્દુ સંગઠનો, વેપારી આગેવાનો અને શહેરીજનોએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

​​​​​​​પાલિતાણાના હિન્દુ સંગઠનો દ્વારા આજે વેપારીઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો અને શહેરીજનોને સાથે રાખી રેલી યોજવામા આવી હતી. યુવતીઓને મુક્ત કરાવી યુવકો સામે કાર્યવાહી કરવાની પ્રાંત અધિકારી સમક્ષ માગ કરવામા આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.