ગીર સોમનાથમાં 11 વીઘામાં ઘઉંનો પાક વીજ લાઈનને કારણે બળીને ખાખ થઈ ગયો..

ગીર સોમનાથના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં 11 વીઘામાં લહેરાતો ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા બંને ખેતરો ઉપરથી પસાર થતી વીજ લાઈનોમાંથી તણખા ઝરી પાક પર પડતા ભીષણ આગ લાગી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો ખેડૂતોની વર્ષભરની મહેનત એળે જવાની સાથે આર્થીક નુકસાન ભોગવવાનો વારો આવતા વીજ તંત્ર સામે રોષ ખેતરોમાં લાગતી આગની ઘટનાઓ રોકવા અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતરરૂપી સહાય ચુકવવા માંગણી કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ખેડૂતોની માઠી બેઠી હોય તેમ બે ખેતરોમાં કુલ 11 વિધામાં વાવણી કરેલ ઘઉંના ઉભા પાક ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખો ખરી જવાથી આગ લાગેલ જેના લીધે પાક બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયુ છે. તો આ ઘટનાના લીધે ખેડૂતની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ હોવાથી સત્વરે વળતર ચુકવવા ગુહાર કરવામાં આવી છે.

આ બંને ઘટના ગીરગઢડાના સોનપરા અને બોડીદર ગામના ખેતરમાં બની હોવા ઉપરાંત છાશવારે આવી રીતે ખેતરોમાં આગ લાગવાની ઘટના બની રહી હોવાથી ખેડૂતો બેહાલ બની ગયા છે. ગીર ગઢડા તાલુકાના ડોળાસા ગામે હજુ તો બે દિવસ પહેલા જ એક ગરીબ ખેડૂતના અઢી વીઘાના ઘઉંના પાક પર વીજ પોલ પરથી તણખો ખરતા સંપુર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેની આગ હજુ ઠંડી પડે તે પહેલા આવી જ બે આગની ઘટનાઓ તાલુકાના બે ગામોમાં બની છે. જેમાં આગ પ્રથમ તાલુકાના સોનપરા ગામની સીમમાં ખેડૂત જેરામગીરી પ્રેમગીરીની પાંચ વીઘા ખેતીની જમીન આવેલી છે.અને જે પૈકી ચાર વીઘા જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યુ હતું.

તો આ વર્ષે સારી માવજતના કારણે ઘઉંનો પાક પણ સારો હોવાથી ભાવ સારો મળવાની ખેડૂતએ આશા સેવી હતી. પરંતુ આ ખેડૂતના નસીબમાં કંઇક જુદુ લખ્યુ હોય તેમ તેના ખેતરના શેઢેથી 11 kv ની લાઇનના વીજ વાયરો પસાર થાય છે. જે ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ઢીલા પડી ગયા હતા. જેથી આ બાબતે અનેકવાર વીજ તંત્રને રજુઆત કરેલ તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. દરમ્યાન ગઈકાલે સાંજના સમયે વીજ વાયરોમાંથી તણખા ખરીને નીચે ખેતરમાં લહેરાતા ઘઉના પાક ઉપર પડતા એકાએક આગ ભભુકી ઉઠેલ જેમાં સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.