દેશમાં છેલ્લાં 24 કલાકમાં 28 હજાર લોકો થયાઓ સંક્રમિત, 338 લોકોએ જીવ ગુમાવ્યા….

કોરોના નવા કેસોમાં છેલ્લાં ત્રણ દિવસથી સામાન્ય ધટાડો નોંધાયો છે. આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લાં 24 કલાક 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે.

જયારે 34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.દેશમાં હાલમાં 6595 એકટિવ કેસ ઓછા થઈ ગયાં છે.કેરલમાં ગઈ કાલે 20487 નવા કેસ આવ્યાં હતાં. જયારે 181 અને દદીઁઁઓના મોત થયા હતાં. આ સાથે જ રાજયમાં કુલ દદીઁઁઓની સંખ્યા વધીને 43 લાખ 55 હજાર થી વધુ થાય છે.

આ સાથે અત્યાર સુધીમાં 41,00,355 દદીઁઁઓએ કોરોના મુકત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 11 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 73 કરોડ 82 લાખ 7 હજાર લોકોએ કોરોનાનાં ડોઝ અપાઇ ચૂકયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.