સુપ્રીમ કોર્ટેમાં બબાલ , દિલ્હી સરકારને કરી ટકોર

દિલ્હી (DELHI) એનસીઆરમાં (NCR) ભયાનક વાયુ પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) કેન્દ્ર અને દિલ્હી સરકારની સામે નારાજગી વ્યક્ત (EXPRESSED RESENTMENT) કરી છે. પ્રદૂષણ રોકવા માટે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને દિલ્હી સરકારની સામે નારાજગી વ્યકત કરી છે.પ્રદૂષણ રોકવા (PREVENT POLLUTION) માટે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને દિલ્લી સરકારને ૨૪ કલાકની અંદર યોજના બનાવવાં કહ્યું છે આજે ફરીથી સુનાવણી થશે.

અને સુનાવણી પહેલાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે શીર્ષ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું કે, તેમણે વાયુ પ્રદૂષણ નિયંત્રિત કરવા પોતનાં નિર્દેશોનાં અનુપાલનની દેખરેખ માટે એક એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સનું ગંઠન કર્યુ છે.

બીજી બાજુ દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી શહેરમાં હોસ્પિટલમાં નિર્માણનું કાર્ય ની અનુમતિ માંગી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં દિલ્હી સરકારે કહ્યું કે કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખી કેટલીક જૂની હોસ્પિટલમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. આના સિવાય ૦૭ નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું હતું . જોકે પ્રદૂષણ વધવાને કારણે નિર્માણ કાર્યને હાલ રોકી દેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.