ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવતા G-7 દેશોના જૂથ દ્વારા ટીકા કરવામાં આવી.

ભારત સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવ વધી રહ્યા છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઘઉંનો પુરવઠો ખોરવાઈ ગયો છે. દરમિયાન, ઘઉંની નિકાસ રોકવાના ભારત સરકારના નિર્ણયની G-7 દેશોના જૂથ દ્વારા ટીકા કરવામાં આવી છે. જર્મનીના કૃષિ પ્રધાન કેમ ઓઝડેમિરે કહ્યું છે કે ભારતના આ પગલાથી વિશ્વમાં ખાદ્ય સંકટ વધશે.અને અમે ભારતને જી-20 સભ્ય તરીકે તેની જવાબદારી સ્વીકારવાનું આહ્વાન કરીએ છીએ.

યુક્રેન-રશિયા યુદ્ધના કારણે ઘઉંની નિકાસમાં મોટો ઘટાડો થયો છે કારણ કે આ બંને દેશો વિશ્વના સૌથી મોટા ખાદ્ય નિકાસકર્તા છે તેમજ યુક્રેન અને રશિયાથી સપ્લાયને અસર થયા બાદ ભારત તરફથી ઘઉંની માંગ વધી છે. જો કે યુક્રેન કહે છે કે તેની પાસે 20 મિલિયન ટન ઘઉં છે, પરંતુ તેનો વેપાર માર્ગ યુદ્ધને કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે.

કેમ ઓઝડેમિરે જણાવ્યું હતું કે આવતા મહિને જર્મનીમાં યોજાનારી G-7 સમિટ દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવશે, જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું, “નિકાસ પર પ્રતિબંધ બાંગ્લાદેશ અને નેપાળ જેવા દેશોને અસર કરે છે અને જેમને તેની તાત્કાલિક જરૂર છે. અમે એ પણ ભલામણ કરીએ છીએ કે G-7 બેઠકમાં આ મુદ્દે નક્કર નિર્ણય લેવામાં આવે, જેમાં ભારતને આમંત્રિત કરવામાં આવશે.”

ભારત સરકારે કહ્યું છે કે તે એવા દેશોને નિકાસ કરવાની મંજૂરી આપશે કે જેઓ તેમની “ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો” પૂરી કરવા પુરવઠાની વિનંતી કરે છે, કારણ કે રિપોર્ટ દાવો કરે છે કે ભારતમાં ઘઉંના ભાવ કેટલાક બજારોમાં રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયા છે અને વધતા બળતણ અને પરિવહન ખર્ચે ભારતમાં ઘઉંના ભાવમાં વધુ વધારો કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.