ભ્રષ્ટાચાર સૌથી જટિલ સામાજિક, રાજકીય અને આર્થિક ઘટનાઓમાંથી એક છે, જેની અસર વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. દર વર્ષે 9 ડિસેમ્બરના દિવસે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ 31 ઑક્ટોબર 2003થી શરૂ થાય છે, જ્યારે મહાસભાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના સંમેલનને અપનાવ્યું હતું. ત્યારથી ડ્રગ્સ એન્ડ ક્રાઇમ પર યુનાઇટેડ નેશન્સ ઓફિસને સ્ટેટ પાર્ટીઝના કોન્ફરન્સ માટે સચિવાલય તરીકે નિયુક્ત કરાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ત્યારે 9 ડિસેમ્બરના દિવસને ભ્રષ્ટાચાર વિરોધ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે કોન્ફરન્સ ડિસેમ્બર 2005માં યોજાઇ હતી. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને સંપૂર્ણ વૈશ્વિક સમુદાય (UNODC) ભ્રષ્ટાચાર-વિરોધી પ્રથા વિશે જાગરૂકતા જન્માવવા માટે મુખ્ય છે.
આંતરરાષ્ટ્રીય વિરોધી દિવસનું મહત્ત્વ
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્ત્વ વિશ્વ સ્તરે તેના વિશે જાગરૂકતા ફેલાવવા અને લોકોને જણાવવા કે કોઇએ તેનાથી કેવી રીતે અને કેમ બચવું જોઇએ. આ દિવસ પણ ભ્રષ્ટાચાર વિરોધી સમૂહમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જે આ ગેરવર્તન પ્રત્યે જાગરૂકતા ફેલાવે છે અને પોતાના ઑફિસ પર ભ્રષ્ટાચારથી બચવાના સાધનો અને પદ્ધતિઓને શેર કરે છે. લોકશાહી સંસ્થાઓનો પાયો બચાવવા માટે ભ્રષ્ટાચારને ફેલાતો અટકાવવો ખૂબ જ જરૂરી છે કારણ કે ભ્રષ્ટાચાર કાયદાના શાસનની ચુંટણી પ્રક્રિયાને વિકૃત કરે છે. ભ્રષ્ટાચાર કેટલીય રીતે દેશના આર્થિક વિકાસને પણ અસર કરે છે.
સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અનુસાર, દર વર્ષે 1 ટ્રિલિયન ડૉલરની ચુકવણી રિશ્વત સ્વરૂપે કરવામાં આવી રહી છે, જ્યારે યૂએસડી 2.6 ટ્રિલિયનને ભ્રષ્ટ પગલાઓને કારણે ચોરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અનુસાર, અંદાજ કાઢવામાં આવ્યો છે કે વિકાસશીલ દેશમાં ભ્રષ્ટાચારના કારણે 10 ગણી ધનરાશિ ખોવાઇ ગઇ છે, નહીં તો આ ભંડોળનો ઉપયોગ તેમની સત્તાવાર વિકાસ સહાયમાં કરવામાં આવી શક્યો હોત.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસની થીમ
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસની થીમ છે, ‘યૂનાઇટેડ અગેન્સ્ટ કરપ્શન’ જે સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સૌથી મોટી અડચણોમાંથી એક ભ્રષ્ટાચાર પર કેન્દ્રિત છે. આ 2030 એજેન્ડાનું સમર્થન કરવાનું યથાવત રાખશે, જે અભિયાનનું કરોડરજ્જૂ છે, આટલુ જ નહીં આ અભિયાનમાં એક યુવા ઘટક પણ હશે. ભ્રષ્ટાચારથી લડવા માટે સ્થાયી સમાધાન સુનિશ્ચિત કરવા માટે યુવાનોના ન્યાય માટે એક બની સશક્ત બનવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.