IPLની મિટિંગમાં માલિકો વચ્ચે બબાલ થઈ, શાહરુખ ખાને કહ્યું મેગા ઓક્શન ન થવુ જોઈએ..

IPL Meeting Debate: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે 31 જુલાઈના રોજ મુંબઈમાં બીસીસીઆઈ હેડક્વાર્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેલાડીઓને રિટેન કરીને રાખવા અને મેગા ઓક્શન પર પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે ટીમો વચ્ચે પણ કોઈ બાબત પર સહમતિ સધાઈ નથી. આ દરમિયાન શાહરુખ ખાન મેગા ઓક્શન વિરૂદ્ધ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ટીમ માલિકો વચ્ચે બેઠકમાં ઉગ્ર ચર્ચા

KKR અને SRH મેગા ઓક્શનની તરફેણમાં નથી

પાર્થ જિંદાલ IPLમાં ઈમ્પેક્ટ પ્લયેરનો નિયમ નથી ઈચ્છતા 

IPL Meeting Debate: BCCI હેડક્વાર્ટર ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે તમામ ટીમના માલિકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેગા ઓક્શન પહેલા ટીમમાં રાખવાના નિયમો અને ખેલાડીઓની સંખ્યા અંગે ચર્ચા થવાની હતી પરંતુ ચર્ચા માત્ર મેગા ઓક્શનની જરૂરિયાત અને ભવિષ્ય પર કેન્દ્રિત રહી હતી. આ બેઠકમાં કેટલીક ટીમોના માલિકો વચ્ચે ખૂબ જ ઉગ્ર ચર્ચા થઈ હતી. આ પછી, BCCIએ કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં ટીમોને તેમના નિર્ણયની જાણ કરશે.

મીટીંગમાં ઘણા ટીમ માલિકો મેગા ઓકશનના વિરોધમાં હતા. જેમાં સૌથી આગળ કોલકાતા નાઈટ રાઈડર્સના શાહરૂખ ખાન અને સનરાઈઝર્સ હૈદરાબાદના કાવ્યા મારન હતા. રસપ્રદ વાત એ છે કે આ બંને ટીમ આ વર્ષે IPLની ફાઇનલમાં હતી અને પોતાની ટીમને એવી જ રાખવા માંગે છે. તે કહે છે કે ટીમોને બ્રાન્ડ બનાવવા અને ચાહકો સાથે જોડાવા માટે સ્થિરતાની જરૂર છે.

નેસ વાડિયા અને શાહરૂખ ખાન વચ્ચે દલીલ

મીટિંગમાં હાજર બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાને મેગા ઓક્શન સામે જોરદાર વિરોધ કર્યો હતો. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન તેણે પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા સાથે ખેલાડીઓની સંખ્યાને લઈને ઉગ્ર દલીલ કરી હતી. મીટિંગ બાદ વાડિયાએ શાહરૂખ સાથે દલીલ કરવાનો ઇનકાર કર્યો હતો. તેણે કહ્યું, ‘તે શાહરૂખને 25 વર્ષથી ઓળખે છે અને તેમની વચ્ચે કોઈ દુશ્મની નથી. તેમણે તેમની ટીમના અભિપ્રાય વિશે વધુ વાત કરી ન હતી, માત્ર એટલું જ કહ્યું હતું કે દરેકે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને અંતે દરેકના હિતમાં નિર્ણય લેવો પડશે.

શાહરૂખને સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારનનો પણ સપોર્ટ મળ્યો હતો. આ બંનેએ કહ્યું કે અમે દરેક વખતે મીની ઓક્શન જ ઈચ્છીએ છીએ મેગા ઓક્શન નહીં. તેણે કહ્યું કે ટીમ બનાવવામાં ઘણો સમય લાગે છે અને યુવા ખેલાડીઓને સારા બનવામાં પણ સમય લાગે છે. તેણે અભિષેક શર્માનું ઉદાહરણ આપ્યું, જેને સારું પ્રદર્શન કરવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા.

પાર્થ જિંદાલ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઇચ્છતા નથી

દિલ્હી કેપિટલ્સના પાર્થ જિંદાલ એવા લોકોમાં સામેલ હતા જેઓ વધુ ખેલાડીઓ રાખવાની વિરુદ્ધ હતા. તેમણે કહ્યું કે આ ડિબેટ કેમ થઈ રહી છે મને તો એ જ નથી સમજાતું. દરેક ટીમોને સમાન તક મળે એના માટે મેગા ઓક્શન થવું અનિવાર્ય છે. આનાથી IPLને વધારે ટ્રાન્સપરન્ટ બનાવી શકાય છે. તેમણે કહ્યું કે એક બે ટીમના માલિકો સિવાય બધાને મેગા ઓક્શનથી કશો વાંધો નથી.

જિંદાલે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ નાબૂદ કરવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોને આ નિયમ પસંદ છે કારણ કે તે યુવા ખેલાડીઓને રમવાની તક આપે છે, પરંતુ કેટલાક લોકો તેને ભારતીય ક્રિકેટ માટે ખરાબ માને છે કારણ કે તે ઓલરાઉન્ડર ખેલાડીઓનો વિકાસ થવા દેતો નથી.

મુંબઈના માલિકોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં હાજરી આપીઆ બેઠકમાં દિલ્હી કેપિટલ્સના કિરણ કુમાર ગાંધી, લખનઉ સુપર જાયન્ટ્સના સંજીવ ગોયન્કા, ચેન્નાઈ સુપર કિંગ્સના રૂપા ગુરુનાથ, રાજસ્થાન રોયલ્સના મનોજ બાદલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રતિમેશ મિશ્રા પણ હાજર હતા. અંબાણી પરિવાર, મુંબઈ ઈન્ડિયન્સના માલિકો, વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. બીસીસીઆઈએ બાદમાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ટીમના માલિકોએ ખેલાડીઓના નિયમો અને અન્ય વ્યવસાયિક બાબતો પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. BCCI હવે આ સૂચનો IPL ગવર્નિંગ કાઉન્સિલને મોકલશે અને પછી ખેલાડીઓ માટે નિયમો બનાવવાનો નિર્ણય કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.