જમિયત ઉલેમા-એ -હિંદ ના અધ્યક્ષ મૌલાના અરશદ મદની નો હુંકાર બોમ્બ બ્લાસ્ટ ના દોષિતોને ને બચાવવા હાઇકોર્ટમા જઈશું..

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ ના આરોપીઓ ને બચાવવા હાઇકોર્ટ માં જવા મદનીએ નિર્ણય લીધો છે અને કહ્યું- જમિયત ઉલમા-એ-હિંદે કાયદાકીય લડાઈ લડી અત્યારસુધીમાં એકપણ આરોપીને ફાંસી થવા દીધી નથી. જમિયત ઉલેમા- એ -હિંદનો અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અમદાવાદ બોમ્બવિસ્ફોટ કેસમાં કોર્ટે આપેલા ચુકાદાને સાંભળી નારાજ થઈ ગયા છે અને સ્પેશિયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. મૌલાના અરશદ મદનીએ 38 દોષિતને મોતની સજા અને 11 દોષિતને આજીવન કારાવાસની સજા અંગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમે આ સજા સામે હાઈકોર્ટમાં જઈશું.દોષિતોને ફાંસીથી બચાવવા માટે ખૂબ જ મજબૂતીથી કાયદાકીય લડાઈ લડીશુ અને તેણે કહ્યું હતું અમને વિશ્વાસ છે કે હાઈકોર્ટમાં અમને પૂરો ન્યાય મળશે. અગાઉ પણ અનેક કેસોમાં નીચલી કોર્ટ દ્વારા સજા પામેલા દોષિતોને હાઈકોર્ટમાં કે સુપ્રીમકોર્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને તેમને છોડી મૂકવામાં આવેલા છે.

મૌલાના અરશદ મદનીએ અક્ષરધામ મંદિર હુમલા કેસનું એક મોટું ઉદાહરણ ટાંકીને કહ્યું કે તે કેસ માં પણ નીચલી કોર્ટે મુફ્તી અબ્દુલ કય્યુમ સહિત 3 લોકોને ફાંસીની સજા નો ચુકાદો આપ્યો હતો અને 4 વ્યક્તિને આજીવન કારાવાસની સજા આપી હતી. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો હતો. પણ, જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને ત્યાં વાતને રજૂ કરવામાં આવી તો સુપ્રીમ કોર્ટે તમામ લોકોને નિર્દોષ છોડી દીધા હતા. સુપ્રીમ કોર્ટે નિર્દોષ લોકોને ખોટી રીતે બોમ્બ વિસ્ફોટમાં ફસાવવાના ષડયંત્ર કરવા બદલ ગુજરાત પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી આમ હવે અમદાવાદ બોમ્બબ્લાસ્ટ કેસ ના દોષિતોને પણ બચાવવા હાઇકોર્ટ માં જવાનો નિર્ણય લઈ કહ્યું કે આ કેસ લડવા મોટા જાણીતા વકીલો રોકવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.