કતારગામમાં કિશોરીના ફોટો વાયરલ કરવાની ધમકી આપી 3 વખત બળાત્કાર કરનાર રત્નકલાકાર ભાવનગરથી ઝડપાયો..

સુરતના કતારગામ ખાતે રહેતી કીશોરીને ઇન્સ્ટાગ્રામ પર ભેટેલા યુવકે સાથે ફોટો પાડી બાદમાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો જેમાં કતારગામ પોલીસે આરોપીને તેના વતન ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા ખાતે રહેતો 22 વર્ષીય જયદીપ કતારગામ ખાતે રહેતી અને ધોરણ11 માં અભ્યાસ કરતી 15 વર્ષની કીશોરી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવ્યો હતો.

બંને વચ્ચે વાતચીત શરૂ થઈ પછી પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંને ફરવા ગયા ત્યારે જયદીપે બંનેના સાથે ફોટો લઈ લીધા હતા.અને બાદમાં કીશોરીના ડરાવી ધમકાવી શારીરીક અડપલા કરી નગ્ન તથા અર્ધનગ્ન ફોટા પાડી તથા વિડીયો બનાવી લીધા હતા. કીશોરીને વિડીયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી અને ત્રણ વખત બળાત્કાર કર્યો હતો. જો તેમ ન કરે તો તેના પરીવારને મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં જયદિપ એક દિવસ કીશોરીના ઘરે પહોંચી ગયો હતો અને તેના પિતાને મને તમારી દિકરી આપો નહિતર તમને બધાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી બાદમાં આરોપી જયદીપ ઉર્ફે અજય રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૨૧ ધંધો- હિરા મજુરી રહે. હનુમાનપરા, જેસર ગામ, તા-જેસર, જી- ભાવનગર) ને વતનથી ઝડપી પાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.