જો આમ થશે તો ભરતસિંહ સોલંકીની જીત નક્કી, ભાજપને રાતા પાણીએ રોવાનો વારો આવશે

આ રાજ્યસભા ચુંટણીમાં અવનવા ખેલ સામે આવી રહ્યા છે. કોણ ક્યારે ખેલ પલટી નાખે તેની કોઈને પણ આશા નથી. ફરી એકવાર આ રાજ્યસભાની ચુંટણીમાં નવો દાવ સામે આવ્યો છે. ચૂંટણીમાં જીત માટે સમાજએ સૌથી અગત્યનું પરિબળ છે. ગુજરાતમાં 27 ધારાસભ્યો ધરાવતા કોળી સમાજે એક થવાનો એક ઠરાવ કર્યો છે . જેના કારણે ભાજપને જીત માટે આંખે પાણી આવે તેવી સંભાવના છે. આ ઘટના શક્ય બને તેની સંભાવના ખુબ જ ઓછી છે છતાં પણ આ વાતોએ ભાજપની ઉંઘ ઉડાડી દીધી છે. હાલમાં ભરતસિંહ એ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિષય ભાજપ માટે ખુબ જ ચિંતાનો વિષય છે.

મળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના સમાજના ધારાસભ્યોને ભરતસિંહ સોલંકીને જ મત આપવાનો ઠરાવ કરાયો છે. કુંવરજી બાવાળીયા આ સંગઠનના પ્રમુખ છે. કુંવરજી બાવળીયાને પણ ભરતસિંહ સોલંકીને મત આપવા સંગઠને જણાવ્યું છે. હાલમાં જ ઠરાવની એક કોપી તમામ ધારાસભ્યોને મોકલી અપાઈ છે. કુવરજી બાવળિયા પણ આ જ સમાજના દમ પર આજે મંત્રી છે. અખીલ ભારતીય કોળી સમાજના ગુજરાત એકમના પ્રમુખે ગુજરાતના તમામ 27 ધારાસભ્યોને ભરતસિંહને જીતાડી સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત કરવા માટે અપીલ કરી છે.

ગઈકાલે જ ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યું છે કે, તાજેતરમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં આપણા જ સમાજના મોભી ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હોવાથી અખિલ ભારતીય કોળી સમાજ એ સામાજિક સંગઠન હોવાથી સ્વાભાવિક પણે સમાજના જે આગેવાનો પ્રતિનિધિત્વ કરે તે તેના સમર્થનમાં હોય જ. આપણને પણ સમાજના આશીર્વાદથી રાજકીય પ્રતિનિધીત્વ પ્રાપ્ત થયું છે. અખિલ ભારતીય કોળી સમાજ વતી આપને ભરતસિંહ સોલંકીની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કરી સમાજની રાજકીય તાકાતને મજબૂત બનાવવા માટે હાર્દિક અપીલ કરું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.