પોરબંદર નજીકના ખીસ્ત્રી ગામે ગીરો મુકેલી જમીન પ્રશ્ને ચાલતા કેશનો ૭૦ વર્ષે ચુકાદો

આ દાવાના કામમાં કોર્ટ તરફથી પ્રાથમિક હુકમનામું તા. ૨૩/૦૨/૧૯૫૩ના રોજ કરવામાં આવેલું હતું. આ ઠરાવ સામે પોરબંદરની આસી. જજની કોર્ટમાં કુલ ૨ અપીલો વાદી તથા પ્રતિવાદી તરફથી અપીલ નં. ૧૬ તથા ૧૮, ૧૯૫૩ ની દાખલ થયેલી હતી. તે બંન્ને કામોમાં સંયુકત રીતે ઠરાવ તા. ૩૦/૬/૧૯૫૪ના રોજ આવેલો હતો અને દાવો ફરીથી નીચેની કોર્ટમાં પાતા ડોસાના વાદીના વારસદારો છે કે કેમ તેટલા પુરતો નવેસરથી પુરાવો લઇ નિર્ણય કરવા માટે રીમાન્ડ કરવામાં આવેલો હતો. આ ઠરાવ સામે જે તે વખતે વાદીઓ તરફથી સૌરાષ્ટ્ર હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ અરજી દાખલ કરવામાં આવેલી હતી. જેમાં પોરબંદરની આસી. કોર્ટ દ્વારા આપવામાં આવેલો ઠરાવ કાયમ રાખવામાં આવેલો હતો. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રૂણ રાહત ધારો ૧૯૫૪ નો અમલમાં આવતા અને હાલનો દાવો ગીરો માંડી આપેલી જમીન છોડાવવાનો હોય અને તે કાયદાની કલમ-૪ અન્વયેની અરજી રજુ કરવામાં આવતા અને તેની દાવાનું સમગ્ર રેકર્ડ રૂણ રાહત ધારા નીચે રચાયેલી બોડીને ટ્રાન્સફર કરવામાં આવેલ અને તેના દ્વારા આપેલા ઠરાવ સામે અપીલ નં. ૩૫/૫૮ દાખલ કરવામાં આવેલી હતી. જે અપીલ અરજી ગુજરાત હાઇકોર્ટ માં સિવીલ રીવીઝન એપ્લીકેશન નં. ૬૨૧ તથા ૧૦૨૪

News Detail

પોરબંદર નજીકના ખીસ્ત્રી ગામે ગીરો મુકેલી જમીન પ્રશ્ને ચાલતા કેશનો ૭૦ વર્ષે ચુકાદો આવ્યો છે જેમાંદાવો દાખલ કરનારની ચોથી પેઢીના વારસદારોને આ જમીન પ્રાપ્ત કરવાનો હક્ક મળ્યો છે તો આ કેસમાં મહત્વનું એ છે કે એડવોકેટની ચોથી પેઢીએ આ કેસ લડ્યો છે.ગુજરનાર મેર અરશીન ડોસા અને પાતા ડોસાએ મેર પુંજા માંડણની પાસે પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ગામે જુદી જુદી ખેતીની જમીન સંવત ૧૯૧૨, ૧૯૧૪, ૧૯૧૭, ૧૯૨૧, ૧૯૨૫ એમ જુદા જુદા વર્ષોમાં ગીરોથી માંડી આપેલ હતી અને વિક્રમ સંવત ૧૯૧૫ માં ૧૦ વિઘા જેટલી જમીન ઘેલા વસ્તાને ત્યાં ગીરો મુકેલી હતી. તે પણ પુંજા માંડણ દ્વારા ઘેલા વસ્તા પાસેથી ગીરોના હકકો ટ્રાન્સફર કરવામાં આવેલા હતા અને અરશી ડોસાના વારસો મેર રણમલ અરશી, હાજા અરશી તથા મેર હરદાસ અરશી દ્વારા ૨૫ કોડી અને ૧૬૦ કોડીમાં પોતાની ખેતીની જમીન ૮૦ વર્ષની બંધણીમાં ગીરો માંડી આપેલી હતી અને તેમ તમામ માંડી આપેલી જમીનોની બંધણીની મુદ્દત અલગ અલગ હોય પરંતુ મહોતમ ૮૦ વર્ષની હોતા અને તેથી ગીરો છોડાવવા માટે ધોરણસરનો રેગ્યુલર દિવાની મુકદમા નંબર ૧૯૧, ૧૯૪૨-૪૩નો દાખલ કરેલો હતો. પરંતુ કોર્ટ દ્વારા ગીરો મુકી આપેલ બંધણીના વર્ષ પુરા થયેલા ન હોય અને તેની દાવો પ્રી મેચ્યોર ઠરાવી રદ કરવામાં આવેલ હતો અને તે પછી ગુજરનાર અરસી ડોસા તથા પાતા ડોસાના વારસદારો તરફથી વકીલ આણંદજી ગોવિંદજી લાખાણી મારફતે પોરબંદરની સીવીલ કોર્ટમાં ગીરો છોડાવવા માટેનો દાવા નંબર. ૬૯/૧૯૫૧ નો દાખલ કરવામાં આવેલો હતો.

આ દાવાના કામમાં કોર્ટ તરફથી પ્રાથમિક હુકમનામું તા. ૨૩/૦૨/૧૯૫૩ના રોજ કરવામાં આવેલું હતું. આ ઠરાવ સામે પોરબંદરની આસી. જજની કોર્ટમાં કુલ ૨ અપીલો વાદી તથા પ્રતિવાદી તરફથી અપીલ નં. ૧૬ તથા ૧૮, ૧૯૫૩ ની દાખલ થયેલી હતી. તે બંન્ને કામોમાં સંયુકત રીતે ઠરાવ તા. ૩૦/૬/૧૯૫૪ના રોજ આવેલો હતો અને દાવો ફરીથી નીચેની કોર્ટમાં પાતા ડોસાના વાદીના વારસદારો છે કે કેમ તેટલા પુરતો નવેસરથી પુરાવો લઇ નિર્ણય કરવા માટે રીમાન્ડ કરવામાં આવેલો હતો. આ ઠરાવ સામે જે તે વખતે વાદીઓ તરફથી સૌરાષ્ટ્ર હાઈકોર્ટમાં સેકન્ડ અપીલ અરજી દાખલ કરવામાં આવેલી હતી. જેમાં પોરબંદરની આસી. કોર્ટ દ્વારા આપવામાં આવેલો ઠરાવ કાયમ રાખવામાં આવેલો હતો. આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર સરકાર દ્વારા રૂણ રાહત ધારો ૧૯૫૪ નો અમલમાં આવતા અને હાલનો દાવો ગીરો માંડી આપેલી જમીન છોડાવવાનો હોય અને તે કાયદાની કલમ-૪ અન્વયેની અરજી રજુ કરવામાં આવતા અને તેની દાવાનું સમગ્ર રેકર્ડ રૂણ રાહત ધારા નીચે રચાયેલી બોડીને ટ્રાન્સફર કરવામાં આવેલ અને તેના દ્વારા આપેલા ઠરાવ સામે અપીલ નં. ૩૫/૫૮ દાખલ કરવામાં આવેલી હતી. જે અપીલ અરજી ગુજરાત હાઇકોર્ટ માં સિવીલ રીવીઝન એપ્લીકેશન નં. ૬૨૧ તથા ૧૦૨૪ સને ૧૯૬૨ ની દાખલ થયેલી હતી. આ કામમાં છેલ્લી પાંચ પેઢીથી વકીલાત સાથે સંકળાયેલી પેઢીમાં દાદા આણંદજીભાઈ એ કરેલો કેસ  તેના પૌત્ર દીપકભાઇએ કરેલી હોય ં તે રીતે વકીલમાં પણ ૩ પેઢી સુધી 5 કેસ ચાલેલો હોય અને તેવું ભાગ્યે જ બનતું હોય અને તે રીતે આ કેસના ચુકાદાથી એડવોકટ પેઢીની નામના પણ વધેલ છે અને આ કામમાં મુળ રીસ્પોન્ડન્ટ વતી એટલે કે મુળ જર્મીન માલીકો વતી એડવોકેટ તરીકે મુળ આણંદલાલ ગોવિંદજી લાખાણી ત્યારબાદ ભોગીલાલ આણંદલાલ લાખાણી અને ત્યારબાદ દીપક ભોગીલાલ લાખાણી અને તેમની સાથે ૧ ભરતભાઈ ભોગીલાલ લાખાણી તથા હેમાંગભાઈ દીપકભાઈ લાખાણી મૈં રોકાયેલા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.