જૂનાગઢના મગફળી કૌભાંડમાં ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ

જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ અજાણ્યા શખ્સો દ્વારા સીસીટીવી પર બારદાન ઢાંકી પુરાવા ચેડા કરવામાં આવ્યા. ત્યારે સવાલ એ છે કે, મગફળીની હજારો બોરીમાં ભેળસેળ છતાં ફરિયાદ માત્ર 156 બોરીઓની જ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર સાથે કુલ બે લાખ 38 હજાર 212 રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં ગોડાઉન મેનેજર વાય.પી. વાળા ફરિયાદી બન્યા છે. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસના પી.આઈ કે.કે. ઝાલાએ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.