કપૂર પરિવારની ફરી એક વાર,વધી ગઈ છે ચિંતાઓ

કપૂર પરિવાર ની ચિંતાઓ ફરી એક વાર વધી ગઈ છે. બોલિવૂડ (Bollywood) એક્ટર રણબીર કપૂરહાલના દિવસોમાં બીમાર છે. અહેવાલ છે કે માતા નીતૂ કપૂર બાદ તે પણ કોરોના વાયરસ સંક્રમણનો શિકાર બની ગયો છે. રણબીર હાલ ક્વૉરન્ટિન છે અને આરામ કરી રહ્યો છે.

વેક્સીન લોકો લઈ રહ્યા છે, પરંતુ કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. અહેવાલ છે કે રણબીર કપૂર પણ કોવિડ-19 સામે જંગ લડી રહ્યા છે. પિન્કવિલાના રિપોર્ટ મુજબ રણબીર હાલ ક્વૉરન્ટિન છે અને આરામ કરી રહ્યો છે.

રણબીરની બીમારીને લઈ જ્યારે તેના કાકા રણધીર કપૂર સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, રણબીરની તબિયત ઠીક નથી, પરંતુ એ જાણવા નથી મળ્યું કે તેને કોરોના સંક્રમણ છે કે નહીં

આ અહેવાલ બાદ પ્રશંસકોની ચિંતા આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અયાન મુખર્જી (Ayan Mukerji) માટે વધી ગઈ છે. કારણ કે હાલમાં જ આલિયા-અયાન બંનેને બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીરની સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ દેવી કાલીના આશીષ પણ લીધા હતા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ અગત્યની ભૂમિકા નિભાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.