સલમાન ખાનને કેટરિનાએ લગ્નમાં નથી બોલાવ્યો? બહેન અર્પિતાએ શુ આપ્યો જવાબ.

બોલિવુડ એક્ટર વિકી કૌશલ અને કેટરિના કેફ થોડા જ કલાકમાં પોતાનો સંસાર શરૂ કરવાના છે. જોકે, બંનેમાંથી એક પણ એક્ટરે આ અંગે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. પણ લગ્ન થવાના છે એ વાત પાક્કી છે. સોશિયલ મીડિયા પરથી દરરોજ વેન્યુથી લઈને એમાં થનારી ખાસ ઈવેન્ટ અંગે વાવડ મળી રહ્યા છે. જેમાં પ્રસંગમાં ભાગ લેવા માટે કડક નિયમો અને કેવી રીતે વિકીએ કેટરિનાને પ્રપોઝ કર્યું એવી અપડેટ મળી રહી છે.

કેટરિના કેફે સલમાન ખાન અને તેના પરિવારને જયપુરમાં યોજાનારા લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન અને તેની બહેનને કેટરિનાએ એક ફોર્મલ ઈન્વિટેશન મોકલ્યું છે. રીપોર્ટ અનુસાર સલમાન ખાન, અર્પિતા અને અલવીરા કેટરિનાના લગ્નમાં ખાસ હાજરી આપવાના છે. પણ જ્યારે અર્પિતાનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે એણે આ સમાચાર પર પૂર્ણવિરામ મુકી દેતા કહ્યું કે, અત્યાર સુધી તો કોઈ પ્રકારનું આમંત્રણ મળ્યું નથી. એટલે તે લગ્નમાં જવાની નથી.

પરિવાર સાથે જોડાયેલા એક સુત્રએ ત્યાં સુધી કહ્યું કે, સલમાન ખાનના પરિવારને કોઈ આમંત્રણ મળ્યું નથી. કેટરિનાના લગ્નનું આમંત્રણ અર્પિતા અને અલવીરાને પણ મળ્યું નથી. આ પરિવાર એમના લગ્ન પ્રસંગમાં ખાસ હાજરી આપશે એ વાવડ ખોટા છે. સલમાન ખાન અને કેટરિના આવનારી ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. બંનેની પ્રોફેશનલ અને વર્કિંગ રીલેશનશીપ ઘણી મજબુત છે. સલમાન અને કેટરિનાને ખૂબ પસંદ કરે છે. કારણ કે, એક એક્ટ્રેસ તરીકે પણ તે ખૂબ જ સક્રિય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.