KBC-11: ટ્રોલર્સને જવાબ આપવાં સોનાક્ષીએ ટ્વિટ કરતાં વધુ થઇ ટ્રોલ

કૌન બનેગા કરોડપતિનાં કર્મવીર ઍપિસોડમાં આવેલી સોનાક્ષી સિન્હા રુમા દેવીને મદદ કરવાં તેમનાં કમ્પેનિયન સ્વરૂપે આવી હતીકૌન બનેગા કરોડપતિનાં કર્મવીર ઍપિસોડમાં આવેલી સોનાક્ષી સિન્હા રુમા દેવીને મદદ કરવાં તેમનાં કમ્પેનિયન સ્વરૂપે આવી હતી. પણ તેનાં જ સામાન્ય જ્ઞાનનાં અભાવને કારણે રુમા દેવીની એક લાઇફ લાઇન જતી રહી હતી. આ સામાન્ય સવાલ હતો કે રામાયણ અનુસાર હનુમાનજી કોનાં માટે સંજીવની બૂટી લેવા ગયા હતાં? જેનાં ઓપ્શનમાં હતું A.સુગ્રીવ B. લક્ષ્મણ C. સીતા D.રામ

જ્યારે જવાબ આપવાનો સમય આવ્યો તો સોનાક્ષી સિન્હાનું રિએક્શન જોઇને સૌ કોઇ ચોકી ગયા હતાં. તેને આ સવાલનો જવાબ નહોતી ખબર. જે બાદ તેમણે તેમની અંતિમ લાઇફ લાઇન ઍક્સપર્ટ ઍડવાઇઝનો ઉપયોગ કર્યો. એકદમ સરળ સવાલનો જવાબ ન આપવાને કારણે સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ થઇ.

આ ટ્રોલર્સને જવાબ આપવા સોનાક્ષી સિન્હાએ ટ્વટિર પર એક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં તેણે લખ્યું છે કે, મારા વ્હાલાઓ મને પાયથાગોરસનો પ્રમય,મર્ચન્ટ ઑફ વેનિસ, પિરિયોડિક ટેબલ, મુઘલનો ઇતિહાસ પણ નથી યાદ અને અન્ય શું નથી યાદ તે પણ યાદ નથી. જો તમારી પાસે અન્ય કોઇ જ કામ નથી તો તમે આની ઉપર પણ મીમ્સ બનાવી દો. મને મીમ્સ ખુબજ પસંદ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.