પૈસા લઈને ટિકિટ આપવા પર કેજરીવાલે આપી પ્રતિક્રિયાઃ જો કોઈ આ વાતને સાબિત કરી આપે તો…..

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે પાર્ટી ટિકિટ વેચવાના આરોપો અંગે પ્રતિક્રિયા આપી છે.અને તેમણે કહ્યું છે કે, 1947થી લઈને અત્યારસુધીની સૌથી ઈમાનદાર પાર્ટી AAP છે. અમે એક પણ ટિકિટ વેચી નથી. જો કોઈ સાબિત કરી આપે કે ટિકિટ વેચી તો વેચનાર અને ખરીદનાર બંનેને તાત્કાલિક ધોરણે પાર્ટીમાંથી કાઢી મુકીશ.અને એટલું જ નહીં, તેમનો નર્ક સુધી પીછો નહીં છોડીશ. આજકલ કાદવ ઉછાળવાની ફેશન છે. કાદવ અમારા પર ઉછાળવામાં આવી રહ્યો છે. જો કોઈએ પાયાવિહોણા આરોપ લગાવ્યા તો તેમને પણ નહીં છોડીશું. CM કેજરીવાલે કહ્યું, રાજેવાલ સાહેબની ખૂબ જ આમન્યા કરું છું. તેઓ મારા ઘરે આવ્યા હતા. અને તેમણે એક ઓડિયો ક્લિપ આપી, તેમા બે લોકો વાત કરી રહ્યા છે કે, કેજરીવાલ પૈસા ખાય છે, સિસોદિયા પૈસા ખાય છે, રાઘવ ચડ્ઢા ફાઈવ સ્ટાર હોટેલમાં જાય છે.અને આ તો પુરાવા નથી, રાજેવાલ સાહેબ ભોળા વ્યક્તિ છે, તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

અકાલી નેતા બિક્રમ મજીઠિયાની માફી માગવાના મુદ્દા પર કેજરીવાલે કહ્યું, અમે કોંગ્રેસીઓનો હાથ નહોતો પકડ્યો કે ધરપકડ ના કરતા અને આજે ચન્ની સાહેબ કહેતા ફરી રહ્યા છે કે, કેજરીવાલે માફી માગી હતી. અમે એવુ થોડી કહ્યું હતું કે તેની ધરપકડ ના કરતા. તેમનું સેટિંગ હતું, બંને ફોન પર વાત કરતા હતા. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે મજીઠિયાના ડ્રગ્સ કારોબારમાં જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.અને જેના પર મજીઠિયાએ AAP પ્રમુખ પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. બાદમાં કેજરીવાલે માની લીધુ છે કે, તેમના આરોપોનો કોઈ આધાર નહોતો. તેઓ તેના માટે માફી માગે છે.

શિરોમણી અકાલી દળ નેતા સુખબીર બાદલ પર નિશાનો સાધતા કેજરીવાલે કહ્યું, સુખબીર બાદલે વહેંચવા માટે કેટલા પૈસા રાખ્યા છે.અને પંજાબી મરી જશે પરંતુ, વોટ વેચવાના નથી. દરેક ગલી-ગલીમાં લોકો કહે છે કે, પૈસા તેમના આવશે પરંતુ વોટ તમને આપીશું. AAP પ્રમુખે કહ્યું, અમારો ઈરાદો એક જ છે- પંજાબની ભલાઈ કરવી. અમારો કોઈની સાથે દ્વેષ નથી, રાજેવાલ સાહેબ જે દિવસે મારા ઘરે આવ્યા હતા, અમે 90 ટિકિટ અનાઉન્સ કરી ચુક્યા હતા. તેમણે કહ્યું કે, 60 ટિકિટ જોઈએ તો અમે કહ્યું કે 27 ટિકિટ વેચી છે. 10-15 તમે લઈ લો,અને જેમને ટિકિટ આપી દીધી છે, તેમની પાસેથી પાછી લેવી યોગ્ય નથી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.