કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડોદરાની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડોદરાની મુલાકાતે આવવાના છે. જેને લઈને શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તેઓ સુરસાગરના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે આવવાના છે. શહેર પોલીસે સુરસાગર ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ડોગસ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવના લોકાર્પણ કાર્યકર્મમાં અમિત શાહ હાજરી આપશે. 30 હજાર દીવડાની મહા આરતીમાં પણ તેઓ ભાગ લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.