અરજકર્તા 30 ખેડૂતો સહિત આખા જિલ્લાના ખેડૂતો, વીમાની રકમને પાત્ર છે-હાઈકોર્ટ

2019ના રવી પાકના નુકસાનના વીમા મામલે હાઈકોર્ટે સૌથી મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 2019ના રવી પાક કપાસ અને એરંડાના ખેડૂતો માટે મહત્વનો ચૂકાદો આપ્યો છે.

હાઈકોર્ટે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને અરજકર્તા 30 ખેડૂતો સહિત આખા જિલ્લાના ખેડૂતોને વીમાની રકમ ચૂકવવવા આદેશ કર્યો છે.

વીમા કંપનીએ જૂદા જૂદા બહાના કાઢીને ખેડૂતોના ક્લેઈમને નકાર્યો હતો.અને કેટલાકને માત્ર 1% વળતર આપ્યું હતું.  જે બાદ ધાંગધ્રા તાલુકાના 30 ખેડૂતો હાઈકોર્ટમાં ગયા હતા.

હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા વીમા કંપનીને કહ્યું, ખેડૂતોએ નુકસાનની મોડી જાણ કરી તેનો મતલબ એવો નથી કે તેમને વીમો નહી આપો

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.