પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને PM મોદીનું સૌથી મોટું નિવેદન જાણો શું કહ્યું?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 60.35 મતદાન થયું છે. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થવાનું છે, આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બર પ્રચાર માટેનો આખરી દિવસ છે. જેથી ભાજપ, કોંગ્રેસ, આપ તથા અન્ય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય નેતાઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાનના કાંકરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે અને ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને ભાજપ વિજયી બનવાની છે

આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેઓએ ભારત માતાની જય બોલાવીને સંબોધન ચાલુ કર્યું હતું ને જે બાદ PM મોદીએ જણાવ્યું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે

જે બાદ પીએમ મોદીએ જણાવ્યું કે, મને યાદ છે હમણા થોડા સપ્તાહ પહેલા દિલ્હીમાં ડેરી સેક્ટરનો મોટો કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતા. આ કાર્યક્રમમાં મે કાંકરેજની ગાયની વાત કરી હતી, દેશ-વિદેશમાં ગીર અને કાંકરેજની ગાયની વાતો થાય છે.

સરદાર સરોવર ડેમને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, જે લોકોએ સરોવરના ડેમ ન બને એના માટે અનેક પ્રયાસો કોંગ્રેસે કર્યા હતા. જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો હતો, કોર્ટ-કચેરીઓમાં લઈ ગયા હતા, એમના ખભે હાથ મુકીને કોંગ્રેસના નેતાઓ પદયાત્રા કરે છે અને જેણે પાણી રોક્યું હોય એ પાપને માફ કરાય? બનાસકાંઠાને તરસ્યું રાખ્યું એના માટે આ કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે, પરંતુ તમે ચૂંટણી આવે એટલે ભૂલી જાવ છો. આ વખતે તો નહીં ભૂલોને?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.