જાણો ગુજરાતમાં ગુપ્ત રાહે CBI ક્યાં નેતાને ડરાવી ગઈ અને જેનાથી ગુજરાતનું આખુ મંત્રીમંડળ ડરી ગયુ..

નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર પર્વના દિવસે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરીને નેતાઓનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય તે અંગે કાર્યવાહી શરૂ કરવામાં કોઈ કસર છોડી નથી અને આની શરૂઆત દિલ્હીથી ઘણા સમય પહેલા શરૂ થઈ ગઈ હતી અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કથિત કૌભાંડની તપાસમાં સતત CBI સીબીઆઇ અને ED ઇડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ત્યારે વિપક્ષે આ મુદ્દે પાણીમાં છબછબીયા શરૂ કરી દીધા છે.

જ્યારે બીજી બાજુ પીએમ મોદીના હોમ ટાઉન ગુજરાતમાં પણ આવા જ એક કથિત ભ્રષ્ટાચારની તપાસ મુદ્દે સીબીઆઇ ગુપ્ત રીતે એક મંત્રીના કથિત પીએને બેસાડી દીધા હતા અને તેની સામે કથિત કૌભાંડની તપાસ અંગે કડક પૂછપરછ કરવામાં આવી હતી. અને આ પીએ એ પોપટની જેમ બધું બોલી નાખ્યું છે. પરંતુ CBI દ્વારા કોઈ કાગળ પરની કાર્યવાહી કરાઈ હોવાની જાણકારી સામે આવી નથી.

સૂત્રોના હવાલેથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના રહેવાસી પીએ દ્વારા સરકારી અને સહકારી બેંકની લોન લઈને ઉચાપત કરી છે અને આ આંકડો 100 કરોડ રૂપિયાથી વધુનો છે. આ પીએ એક કેબિનેટ મંત્રીનું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સીબીઆઇએ કેબિનેટ મંત્રીના કથિત પીએની પૂછપરછ કર્યા બાદ સાહેબના આદેશ મુજબ મંત્રીમંડળમાં પણ આ મેસેજ લીક કરી દીધો છે કે અમારો હશે તો તેને પણ છોડવામાં આવશે નહીં. આમ સુપરિમ કોર્ટે કહેલો પાંજરામાં પુરેલો પોપટ આઝાદ થઈને હવે સત્તા પક્ષના પ્રશ્ન નેતાઓને પણ છાવરશે નહીં તેવા સંકેત આપી દીધા છે.

સીબીઆઇના આ પગલા બાદ ગુજરાતના નેતાઓમાં અને ભાજપના સંગઠનમાં બેઠેલા રોકડી કરતા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ચૂંટણી પહેલા બધા પાક સાફ થઈ જજો તેવી વોર્નિંગ પણ અપાઈ ગઈ છે આ ઉપરાંત અમુક રાજકીય વિશ્લેષકો માને છે કે કેટલાક વિશ્વાસુ કટકિબાજોને ભેગી કરેલી મલાઈ પાર્ટી ફંડમાં જમા કરવાની સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.