મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો, કોઇ વાળ પણ વાંકો ન કરી શકેઃ રાઉત

સંજય રાઉતે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ જો એવો પગલું ભરી રહ્યા છે તે તેમના માટે ઠીક નહીં હોય.

સંજય રાઉતે કહ્યું કે, જો સરકાર યોગ્ય તપાસ માટે તૈયાર છે, તો પછી વારંવાર રાજીનામાની વાત કેમ કરી રહી છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો NCP પ્રમુખ શરદ પવારે આ નક્કી કર્યું છે કે અનિલ દેશમુખ પર જે આરોપ લાગ્યા છે તેમાં તથ્ય નથી તો તેની તપાસ થવી જોઇએ.

શિવસેના નેતાએ સ્પષ્ટ કર્યું કે, મુંબઈના પૂર્વ કમિશ્નરના ખભા પર રાખીને બંદૂક ચલાવવામાં આવી રહી છે, વિરોધી પક્ષ લોકોને ગુમરાહ ન કરી શકે.

સંજય રાઉતે કહ્યું કે, ત્રણ પાર્ટીઓમાં જે પણ નક્કી થયું છે, અંતિમ નિર્ણય કેબિનેટના મંચ પર મુખ્યમંત્રી દ્વારા જ લેવામાં આવશે. સંજય રાઉતે ફરી કહ્યું કે, મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઇ વાળ પણ વાંકો ન કરી શકે.

સચિન વાજે કાંડ બાદ મુંબઈ પોલીસ કમિશનર પદથી પરમબીર સિંહની છુટ્ટા થયા હતા. જ્યારબાદ તેમની એક ચિઠ્ઠી સામે આવી, જેમાં પરમબીરસિંહે આરોપ લગાવ્યો કે ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વાજેને મુંબઈમાં દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલીનો ટારગેટ આપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.