કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર,7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં,કોરોના વાયરસનું વેક્સીનેશન, 50 ટકા પણ થયું નથી પૂરું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસનું વેક્સીનેશન 50 ટકા પણ પૂરું થયું નથી.

સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 7 રાજ્યોઅને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વેક્સીનેશનનો પહેલો ડોઝ પણ 50 ટકા જેટલો પણ પૂરો થયો નથી. લદ્દાખમાં 49 ટકા, નાગાલેન્ડમાં 38.6 ટકા, તમિલનાડુમાં 48.8 ટકા, દિલ્હીમાં 46.5 ટકા, ચંડીગઢમાં 34.3 ટકા પોંડીચેરીમાં 30.2 ટકા અને પંજાબમાં 38.4 ટકા વેક્સીનેશન થયું છે. અહીં સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ જ અપાયો છે.

12 રાજ્યોઅને 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. આ રાજ્યોમાં બિહારમાં 84.7 ટકા, ત્રિપુરામાં 82.9 ટકા, ઓરિસ્સામાં 81.8 ટકા, ગુજરાતમાં 80.1 ટકા, છત્તીસગઢમાં 79.7 ટકા, ઉત્તરાખંડમાં 77.7 ટકા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં 75.6 ટકા, હિમાચલમાં 75.4 ટકા અને રાજસ્થાનમાં 75 ટકા વેક્સીનેશન થયું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધારે સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની વેક્સીન અપાઈ ચૂકી છે. તેમાં ફ્કત 34 દિવસનો સમય લાગ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.