કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન ઉદય કોટકે કહ્યું કે અર્થતંત્રને બચાવવા ચલણી નોટો છાપો.

કોરોના મહામારીને કારણે દેશના અર્થતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી છે અને અર્થતંત્રને વેગ આપવા માટે દેશમાં વધારે ચલણી નોટો છાપવાની જરૃર છે તેમ કોટક મહિન્દ્રા બેંકના ચેરમેન ઉદય કોટકે એક નિવેદનમાં જણાવ્યું છે.તેમણે જણાવ્યું હતું કે સરકાર માટે આ સમય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મદદથી પોતાની બેલેન્સશીટ સુધારવાનો છે. આ માટે આરબીઆઇએ વધારે કરન્સી નોટો છાપવી પડશે. અર્થતંત્રને વેગ આપવા માટે વહેલામાં વહેલી તકે પગલાં ભરવાની જરૃર છે. જો અત્યારે અર્થતૅત્રને વેગ આપવામાં આવશે નહીં તો ક્યારે આપવામાં આવશે?

સરકારે બે પાસાઓ પર ધ્યાન રાખી આગળ વધવાની જરૃર છે. જે લોકો ગરીબને છે તેમને સહાય આપવામાં આવે તથા મહામારીને કારણે જે સેક્ટરને સૌથી વધુ અસર થઇ છે તેમને પણ મદદ કરવામાં આવે. જેથી કરીને તેમાં નોકરી કરતા કર્મચારીઓનૂી નોકરી જતી ન રહે.

ઉદય કોટકે જણાવ્યું હતું કે ગરીબોના ખાતામાં ડાયરેક્ટ નાણા જમા કરાવવા માટે સરકારે જીડીપીના એક ટકા રકમ ખર્ચ કરવાની જરૃર છે. ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સારવાર માટે મેડિકલ સહાય પણ ઉપલબ્ધ કરાવવાની જરૃર છે.

ઉદય કોટકે વધુમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને કારણે દેશના બિઝનેસ બે ભાગમાં વહેંચાઇ ગયા છે. એક કેટેગરીના બિઝનેસ એવા છે જેમના પર કોરોનાની અસર ઓછી જોવા મળી છે અને તે પડકારજનક સમયમાં પણ ટકી રહેવામાં સફળ રહ્યાં છે. જ્યારે બીજી બાજુ કેટલાક બિઝનેસ એવા છે જેમને મહામારીની એટલી ખરાબ અસર થઇ છે કે તેમને ટકી રહેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.