સુરતની ભૂમિ ને અર્પણ ‘ક્રાંતિ ચોક’. PAAS નેતા દ્વારા કરાઇ જાહેરાત..

આજે આઝાદીના 75માં સ્વતંત્ર પર્વની સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યું છે. અને આ વર્ષની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ આખું વર્ષ રાષ્ટ્રીય પવઁમય બનવા જઈ રહ્યું છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત ના યુવાનો પણ રાષ્ટ્રીય પ્રત્યે જોમ જુસ્સો સાથે દેશદાઝની ભાવના હોય તેવી નેમ સાથે સુરત શહેરના વરાછા વિસ્તારમાં યોગીચોક થી કારગીલ ચોક વચ્ચે આવતા ચાર રસ્તા અને ‘ક્રાંતિ ચોક’ નામ આપવામાં આવશે.

સાથે જણાવવામાં આવ્યું છે કે, તે ચોક પર દેશની આન બાન અને શાન સમાન આપણો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરશે. તથા તેની નીચે આ દેશની આઝાદીમાં તેણે નાની ઉંમરે હિંમતભેર અંગ્રેજો સામે નોકરી બહાદુરીથી હસતા મુખે શહીદી વહોરી છે તેવા સુખદેવ,ભગતસિંહ,અને રાજગુરુ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે, આ કાર્ય તમામ કાયદાકીય પ્રક્રિયા અનુસરી ને સુરતની અર્પણ કરવામાં આવશે. તથા તેમાં અનેક સામાજીક સંસ્થાઓ આગેવાનો તથા સુરતના ઉદ્યોગ સાહસિકોના યોગદાન વતી તમામ નો અમારી ટીમ આભાર માનીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.