લીલાછમ શાકભાજી પણ બની શકે છે ગંભીર બીમારીઓનું કારણ, આ વાંચીને તમને વિશ્વાસ નહીં આવે

બજારમાં મળતાં કેટલાક પ્રકારના ફળ અને શાકભાજી તેના ચળકતા રંગના કારણે તાજા અને ખાવા યોગ્ય દેખાય શકે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. શાકભાજી અને ફળ વેચવા માટે તેમને વિવિધ રંગો રંગવામાં આવે છે.

આવી વસ્તુઓનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ રંગો અને રસાયણો લોહીમાં ભળે છે અને શરીરમાંથી બહાર નીકળતા નથી તેના કારણે લીવર, કિડની અને હાર્ટને ગંભીર નુકસાન થાય છે.

એફએસડીએ દ્વારા તાજેતરમાં  શાકભાજી વિક્રેતાઓને આ હાનિકારક રંગો અને જંતુનાશક દવાઓથી થતી નુકસાનકારક અસરો વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે કેટલાક સ્થાનેથી શાકભાજીના 37 નમૂના લઈ તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ રીતે થાય છે નુકસાન

મોટાભાગની વસ્તુઓમાં લીલા રંગની મીલાવટ થાય છે.  તેમાં મેલાકાઇટ ગ્રીન નામનું એક કેમિકલ હોય છે. તે લોહીમાં એકઠું થતું રહે છે. એક મર્યાદા પછી તે શરીરના કોષ ને વિકૃત કરવાનું શરૂ કરે છે. તેનાથી ટ્યૂમર અને કેન્સર થઈ શકે છે.

આ જ રીતે લાલ રંગ માટે રોડામાઇન, પીળા રંગ માટે ઓરમાઇન રંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્રણેય રસાયણો લિવર, કિડની, હૃદય માટે હાનિકારક છે. તેના પરિણામે હૃદયની ગતિ અનિયમિત થવા લાગે છે. કિડની અને લિવર પણ  ખરાબ થાય  છે. તેના નુકસાનથી બચવા માટે ફળ અને શાકભાજીને કલોરિનના પાણીમાં બરાબર ધોઈ ઉપયોગમાં લેવા જોઈએ.  

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.