લોકડાઉન 3 મે સુધી જ કેમ, આ રહ્યુ જાહેરાત પાછળનુ ગણિત

પીએમ મોદીએ 3 મે સુધીના લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે, 3 મે જ કેમ. કારણકે કેટલાક રાજ્યો 30 એપ્રિલ સુધીના લોકડાઊનની જાહેરાત કરી ચુક્યા છે.

આની પાછળનુ ગણિત એવુ છે કે, 3 મે સુધી લોકડાઉન વધારવાનો વિચાર રાજ્યોનો પણ છે. કારણકે 1 મેના દિવસે લેબર ડેની રજા છે અને એ પછી 2 અને 3 મેના રોજ શનિવાર અને રવિવારની રજા આવે છે.

બીજી એક ગણતરી એવી પણ છે કે, કોરોનાના લક્ષણ દેખાતા 7 થી 14 દિવસનો સમય લાગે છે. આમ સરકારે 30 એપ્રિલ એટલે કે 16 દિવસની જગ્યાએ તકેદારી ખાતર બીજા 3 દિવસ પણ જોડી દીધા છે. જેથી દર્દીઓની તસવીર સ્પષ્ટ થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.