મહારાષ્ટ્રમાં ઘાતક બન્યો કોરોના વાયરસ,ત્રીજી લહેર વધારે ખતરનાક હોવાની આશંકા

મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 3 મહિનામાં અહીં અલગ અલગ લોકોમાં નવા વેરિઅન્ટ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે  હજુ પણ પ્લાઝમા, રેમડેસિવિર અને સ્ટીરોઈડની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

રિસર્ચમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાને સામેલ કરાયા છે. કારણકે દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણની અસર ગયા એક વર્ષમાં મહારાષ્ટ્રમા સૌથી વધારે રહી હતી.

તેઓએ કહ્યું કે વાયરસમાં સતત થઈ રહેલા મ્યૂટેશન અને સંક્રમણના વધતા એક ગંભીર સ્થિતિનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જ્યારે એક અધિકારીએ કહ્યું કે બી.1.617 વેરિઅન્ટ કુલ 54 દેશમાં મળી રહ્યો છે. તેના એક અન્ય મ્યૂટેશનને જેલ્ટા વેરિઅન્ટ નામ અપાયું છે.

નવેમ્બર 2020થી 31 માર્ચ 2021 સુધી અહીં 733 સેમ્પલ મળ્યા છે અને સાથે જ દરેક સેમ્પલમાં 47 વાર મ્યુટેશન જોવા મળ્યું છે. દેશમાં પહેલા ક્યારેય આવું જોવા મળ્યું નથી. ઈટલી, ફ્રાન્સ, યૂકે અને અમેરિકાને જોતા તેનો અંદાજ આવી શકે છે.

વૈજ્ઞાનિકોએ યૂપી, બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પ.બંગાળ, તેલંગાણા અને એ રાજ્યોમાં સિક્વન્સિંગ વધારવાની અપીલ કરી છે જ્યાં કેટલાક દિવસોથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું હતું. આ રાજ્યોમાં અનેક જિલ્લા એવા પણ હતા જ્યાં સંક્રમણનો દર 40 ટકાથી વધારે પહોંચ્યો હતો. જે દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા મળ્યો નથી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.