આપ છોડનારા મહેશ સવાણી, સીઆર પાટીલ અને હર્ષ સંઘવી આખરે થયા એક અને ખૂબ વખાણ કર્યા !!!

સુરતમાં વલ્લભભાઈ પી સવાણીના 73માં જન્મદિવસ પ્રસંગે પી પી સવાણી પરિવાર દ્વારા અબ્રામા રોડ ખાતે આવેલા પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે યોજાયેલા જન્મદાતા પૂજન કાર્યક્રમ દરમિયાન ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યક્રમનું દિપ પ્રગટાવી શરૂઆત કરાવી હતી.અને આ પ્રસંગે દર્શનાબેન જરદોશ, રાજ્યકક્ષા મંત્રી, રેલવે અને ટેક્ષટાઇલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ હાજર રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ અને હર્ષ સંઘવીએ પી પી સવાણી ગૃપ દ્વારા થઈ રહેલા સામાજિક કાર્યોની ખુબજ પ્રશંસા કરી હતી,રે પરિવારે કરેલા સામાજિક કાર્ય ની પ્રશંસા કરતાનજરે હતા.અને
એક સમયે આજ મહેશ સવાણી ભાજપ વિરુદ્ધ સ્ટેજ,સભાઓ ગજવતા હતા અને રાજકીય ડિબેટમાં સૌથી વધારે આક્ષેપ-પ્રતિઆક્ષેપો મહેશ સવાણી અને હર્ષ સંઘવીની વચ્ચે થતાં જોવા મળતા હતા

મહેશ સવાણી આપ ના દિલ્હી મોડલની વાહવાહ કરતા હતા પણ તેઓએ અચાનક જ આમ આદમી પાર્ટીને અલવીદા કરી દઈ હવે ભાજપ ના વખાણ કરવાનું શરૂ કરતાં રાજકારણમાં આ પ્રકારે પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે. તેમજ મહેશ સવાણી આગામી દિવસોમાં ભાજપમાં જોડાવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને મહેશ સવાણી એક મંચ ઉપર આવતા હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.