મમતા બેનર્જી ની 2024 માં એન્ટ્રી. આ તારીખે રાજધાનીમાં નાખશે ધામા..

મમતા બેનર્જી દ્નારા બંગાળની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવ્યા બાદ હવે તે 26 જુલાઈ થી 30 જુલાઈ દરમિયાન દિલ્હીમાં રહેશે. મમતા બેનર્જી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે તે જ દિવસે તેમણે વિપક્ષી દળોની બેઠક પણ બોલાવી છે. એવી ચચૉ છે કે, મમતા ૨૦૨૪ માટે એન્ટ્રી ભાજપ ફ્રન્ટ તૈયાર કરવાના પ્રયાસમાં છે.

ટીએમસી નેતાઓ મતે દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી વિપક્ષનાં દિગ્ગજ નેતાઓને મળી પણ શકે છે, આ માટે તેમણે નેતાઓને આમંત્રણ પણ મોકલ્યું છે. ૨૧ જુલાઈથી દિલ્હીમાં રહેલાં ટીએમસીનાં મહાસચિવ તથા મમતા બેનર્જીનાં ભત્રીજા અને ચૂંટણી રણનીતિકાર એવા પ્રશાંત કિશોર ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને એક મજબૂત મોચૉઁ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.