પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે આરોપ લગાવ્યો છે કે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોલીસને પણ અનૈતિક કામ કરવા માટે પ્રેરણા આપે છે.
મમતા બેનરજીએ કહ્યું કે મેં આવો ગુંડો, હિંસાખોર ગૃહમંત્રી મારી આખી જિંદગીમાં નથી જોયો. અમિત શાહ વાઘ કરતા પણ વધારે ખતરનાક છે. લોકો તેમની સાથે વાત કરતા ડરે છે
આટલેથી ના અટકતા તેમણે અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દરેક પ્રકારના અનૈતિક કાર્ય માટે પોલીસ પર દબાણ બનાવી રહ્યા છે. મમતા બેનરજીએ રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણીને બંગાળની અસ્મિતાની રક્ષાનો પ્રયાસ ગણાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.