મણિપુર હિંસા/ ગૃહમંત્રી અમિત શાહની ખુલ્લી ચેતવણી હથિયાર મળ્યાં તો ખેર નહિ…

મણિપુરમાં થયેલ હિંસા પછી હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, હવે ન્યાયિક પંચ મણિપુર હિંસાની તપાસ કરશે. આ પંચનું નેતૃત્વ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કરશે. આ સિવાય CBI હિંસા સંબંધિત છ કેસની તપાસ કરશે. આ સાથે કહ્યું કે, હિંસામાં જીવ ગુમાવનારા પીડિત પરિવારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

અમિત શાહે કહ્યું કે, ભાજપ સરકારે વિકાસના તમામ માપદંડોને પૂર્ણ કર્યા છે. 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના ઉતાવળા નિર્ણયને કારણે બે જૂથો વચ્ચે જાતિય હિંસા શરૂ થઈ ગઈ હતી. મારી વિનંતી છે કે જેમની પાસે શસ્ત્રો છે તેઓ તેને સોંપી દે. આવતીકાલથી પોલીસ સમગ્ર મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરશે.

અમિત શાહે હિંસા કરનારને ચેતવણી આપતાં કહ્યું કે, આવા લોકોને બક્ષવામાં નહિ આવે. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની વિનંતી કરતાં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ શાંતિ જાળવવી જોઈએ. તમામ લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મેડિકલ હોય કે રાશન સપ્લાય, સરકાર બધી મદદ માટે પગલાં લઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.