માત્ર 1 કલાકમાં જ અબજોપતિ મુકેશ અંબાણીને અધધધ રૂપિયાનું થયું મોટું નુકસાન

મુંબઈ: સોમવારે શેરબજારમાં એક કલાકનાં કારોબાર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરમાં 7 ટકા જેટો ઘટાડો નોંધાયો હતો. જેને કારણે મુકેશ અંબાણીને એક કલાકમાં જ 56 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું છે. આખું શેર માર્કેટ અચંબામાં પડી ગયું છે કે, દેશની સૌથી મોટી કંપનીનાં શેરોમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો. આ પહેલાં 28 ફેબ્રુઆરીએ રિલાયન્સનાં શેરોમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે દિવસે આખા દિવસ દરમિયાનનાં કારોબારમાં 58 કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. સોમવારે જ શેરબજારમાં 1942 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણીને એક કલાકનાં કારોબારમાં જ 56 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વાસ્તવમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેર્સમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેને કારણે બીએસઈમાં કંપનીના શેરની કિંમત શેર દીઠ 1180.65 રૂપિયા પર આવી છે. જ્યારે શુક્રવારે કંપનીના શેરની કિંમત શેરદીઠ 1270.05 પર બંધ રહી હતી. આ ઘટાડાને કારણે કંપનીની બીએસઈની માર્કેટકેપ 7,48,255.44 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે શુક્રવારે કંપનીની માર્કેટકેપ લગભગ 8,04,914 કરોડ રૂપિયા હતી. બંને કારોબારી દિવસોની વચ્ચેનું અંતર જ મુકેશ અંબાણીનું નુકસાન છે. એન્ટિલિયાની કિંમત અંદાજે 10000 હજાર કરોડ હોવાનું કહેવાય છે. આમ  આ ખોટ 5-6 એન્ટિલિયા બની જાય એટલી છે.

વાસ્તવમાં શેરબજારમાં નુકસાન ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતો ક્રેશ થવાને કારણે થઈ છે. રિલાયન્સ કાચા તેલનાં બિઝનેસમાં પણ છે અને તેણે સાઉદી અરામકો સાથે ભાગીદારી પણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.