‘મહારાજ’ની ટીકા કરવામાં દિગ્વિજય સિંહે કરી નાખ્યા PM મોદી અને RSSના વખાણ, જાણો શું કહ્યું?

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો પોકારીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી પણ નોંધાવી દીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉમેદવારી નોંધાવ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પોતાના મનની વાત ટ્વીટરના માધ્યમથી જાહેર કરી છે. તેમણે ઉપરાઉપરી ટ્વીટ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપ, આરએસએસ અને હિન્દુત્વને લઈને પોતાના વિચાર પ્રગટ કર્યા છે.

મારો ધર્મ સનાતન છે, માણસાઈ છે, હિન્દુત્વ નહીં’
દિગ્વિજય સિંહે ટ્વીટ કરીને કહ્યું કે સત્તા માટે હંમેશા માનવતાની સેવાનું માધ્યમ રહ્યું છે. જ્યારે હું 1981માં જગદગુરુ શંકરાચાર્ય  સ્વામી સ્વરૂપાનંદજીને મળ્યો તો આ ભાવના મારી અંદર વધુ મજબુત થઈ હતી. મેં તેમની પાસેથી દીક્ષા મેળવી. મારા માટે માણસાઈ જ મારો ધર્મ છે. જે હિન્દુત્વથી બિલકુલ અલગ છે. હું એવા માહોલમાં ઉછર્યો કે જ્યાં મારા પિતા બિલકુલ નાસ્તિક હતાં. ત્યાં મારી માતા જ ખુબ વધારે ધાર્મિક મહિલા હતાં. મારો ધર્મ સનાતન છે. મારો વિશ્વાસ સાર્વભૌમિક ભાઈચારામા છે, સંપ્રદાયવાદી હિન્દુત્વમાં નહીં.

દિગ્વિજય સિંહે આગળની ટ્વીટમાં લખ્યું કે રાજમાતા વિજયા રાજે સિંધિયા માટે મારા મનમાં આજે પણ ખુબ સન્માન છે. 1970માં જ્યારે હું રાઘવગઢ નગરપાલિકામાં અધ્યક્ષ હતો તો તેમણે મને જનસંઘ સાથે જોડાવવાનું કહ્યું હતું. પરંતુ મેં વિનમ્રતાથી ના પાડી દીધી. કારણ કે મેં ગુરુ ગોલવલકરના વિચાર વાંચ્યા હતાં અને કેટલાક આરએસએસ નેતાઓ સાથે મારે વાત પણ થઈ હતી. તેમને ખબર નથી કે તેઓ દેશને કેટલું નુકસાન પહોંચાડી રહ્યાં છે. દેશના સામાજિક તાણાવાણાને બરબાદ કરીને તેઓ આઈડિયા ઓફ ઈન્ડિયા, સનાતન ધર્મ, અને હિન્દુત્વના મૂળ ચરિત્રને નુકસાન પહોંચાડી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.