મહિલા સુરક્ષા પર રાષ્ટ્રપતિનું મોટું નિવેદન-પૉક્સો એક્ટમાં દયા અરજીની જોગવાઈ નાબૂદ કરાય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, મહિલા સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. પૉક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના આરોપીઓને દયા અરજી કરવાનો અધિકાર મળવો જોઈએ નહીં.

દેશમાં સતત વધી રહેલી રેપની ઘટનાને લઈને મહિલા સુરક્ષા અંગે સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે મહિલા સુરક્ષાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે મહિલા સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. પૉક્સો એક્ટ હેઠળ દુષ્કર્મના આરોપીઓને દયા અરજી કરવાનો અધિકાર મળવો જોઈએ નહીં. આ મામલે કાયદામાં સંસોધન વિશે સંસદે વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ કોવિંદે રાજસ્થાનના સિરોહી ખાતે એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં 27 નવેમ્બરે એક મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરનાર ચાર આરોપીઓને પોલીસે અથડામણમાં ઠાર માર્યા છે. પોલીસ આરોપીને ક્રાઇમ સીન રીક્રન્સ્ટકશન કરવા માટે લઇ ગઇ હતી. જ્યાંથી તેઓ હથિયાર લઇને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પોલીસે આત્મરક્ષા માટે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીઓના મોત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.