Modhera Sun Temple : મહેસાણાથી આ રીતે પહોંચો મોઢેરાના ‘સૂર્ય મંદિર’, દરેક જિલ્લામાંથી નીકળતી ટ્રેન વિશે જાણો

Modhera Sun Temple : ગુજરાતના દરેક જિલ્લામાંથી કંઈ રીતે મોઢેરા પહોંચવું તેના વિશે અહીં માહિતી આપવામાં આવી છે. જેમ કે સુરત-નવસારી તરફથી આવતી ટ્રેનો સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે. તેમજ સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રેનો જામનગર, રાજકોટ, અમદાવાદ વગેરે રુટ પર ચાલશે. આ ટ્રેનો લગભગ ગુજરાતના મોટાભાગનો વિસ્તાર આવરી લેશે.

Modhera Sun Temple : મુંબઈ તરફથી અથવા તો સુરત તરફથી આવતી ટ્રેનો જે મહેસાણા જાય છે. તેમાં તમે મોઢેરા જઈ શકો છો. આ ટ્રેન સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે.

દાદરથી બિકાનેરની ટ્રેન સુરત, ભરુચ, નડિયાદ, અમદાવાદથી પસાર થઈને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન દરેક દિવસે ચાલે છે. દાદરથી 12:35 વાગ્યે ઉપડે છે અને મહેસાણા 23:25 વાગ્યે પહોંચાડે છે.

તેમજ બાન્દ્રાથી ચંડીગઢ જતી ટ્રેન પણ તમને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન 12:00 વાગ્યે બાન્દ્રાથી ઉપડે છે અને મહેસાણા 20:35 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન સોમવારે અને ગુરુવારે દોડે છે.

જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં સફર કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.

મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધીનું અંતર 25 KM છે. તમે પ્રાઈવેટ વાહન લઈને પણ જઈ શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધી કલાક જેટલો સમય લાગે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.