વાવાઝોડાના કારણે આ વર્ષે સારું નહીં જાય ચોમાસું! દેશભરમાં ચોમાસા પર આવી આશંકા.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે ચોમાસાને લઈ આગાહી કરી છે. વાત એમ છે કે, સ્કાયમેટ વેધરે આગામી ચાર અઠવાડિયામાં ભારતમાં નબળા ચોમાસાની આગાહી કરી છે, જેનાથી કૃષિ ક્ષેત્ર પર અસર થવાની ચિંતા વધી છે. એજન્સીના જણાવ્યા અનુસાર એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ આગામી ચાર અઠવાડિયા માટે 6 જુલાઈ સુધી નકારાત્મક અંદાજ રજૂ કરી રહી છે. તેમના મતે આ સિઝનમાં કૃષિનો ગઢ સૂકો રહેવાની સંભાવના છે, જ્યારે વાવણી અથવા ઓછામાં ઓછું ખેતર તૈયાર કરવા માટે આ અનુકૂળ સમય છે.

ખાનગી હવામાન એજન્સીએ એ પણ જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોય કે જેણે અગાઉ કેરળમાં ચોમાસાની શરૂઆત કરવામાં મોડું કર્યું હતું તે હવે વરસાદી પ્રણાલીની પ્રગતિને રોકે છે. જ્યારે ચોમાસું વરસાદ સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ઓડિશા અને અડધા તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારને 15 જૂન સુધીમાં આવરી લે છે. ચોમાસાનો પ્રવાહ હજુ આ વિસ્તારોમાં વરસાદથી દૂર છે. નજીકના ભવિષ્યમાં બંગાળની ખાડી પર હવામાન પ્રણાલીઓ ઉભી થવાના કોઈ ચિહ્નો દેખાતા નથી, જે ચોમાસાની મહત્વપૂર્ણ નિશાનીઓ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.