મોરબીને વિશ્વ સ્તરે ચમકાવનાર ઘડિયાળ ઉદ્યોગને મંદીનું ગ્રહણ, ઉત્પાદનમાં 40% ઘટાડો

મોરબીમાં બનેલી ઘડિયાળ વર્ષો પહેલા હોલિવૂડના ટાઇટેનિક ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે. મોરબી : એશિયાના સૌથી મોટા ઘડિયાળ ઉદ્યોગનું હબ ગણવામાં આવતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગી ગયું છે. 150થી 200 યુનિટ ધરાવતા ઘડિયાળ ઉદ્યોગમાં મંદીના કારણે છેલ્લા બે વર્ષમાં ઉત્પાદનમાં 30 થી 40 ટકાનો ઘટાડો આવતાં 60 થી 70 હજાર મજુરોની આજીવિકા પર સીધી જ અસર થાય તેવા સંકેત છે.

મોરબીને ઉદ્યોગનગરીનું બિરુદ અપાવતો ઘડિયાળ ઉદ્યોગ હાલ પોતાના જ અસ્તિત્વ માટે લડી રહ્યો છે. ઐશિયાના સૌથી મોટા ઘડિયાળ ઉદ્યોગને કોઈની નજર લાગી ગઈ હોય તેમ મંદી નામનો રાક્ષશ ધીમે ધીમે મોરબીના ઘડિયાળ ઉદ્યોગને ભરડો લઇ રહ્યો છે. જેના લીધે ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા લઘુ ઉદ્યોગો પણ મંદીના ભરડામાં સપડાઈ ગયા છે. છેલ્લા બે વર્ષમાં આ મંદી ઘડિયાળ ઉદ્યોગ પર વધુ અસર કરી રહી છે. આ કારણે 30 થી 40 ટકા પ્રોડક્શન પણ ઘટી ગયું છે અને અનેક લઘુ ઉદ્યોગોને તાળા મારી દેવાનો વારો આવ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ શશાંક દંગીના જણાવ્યા અનુસાર મોરબી એશિયાનો સાથી મોટો ઘડિયાળ ઉદ્યોગ ધરાવતું સેન્ટર હતું. જેમાં મોરબીની ઘડિયાળો પૂરા વિશ્વમાં મોકલવામાં આવતી હતી. આની સાબિતી રૂપે મોરબીમાં બનેલી ઘડિયાળ વર્ષો પહેલા હોલિવૂડના ટાઇટેનિક ફિલ્મમાં પણ બતાવવામાં આવી છે. મોરબીએ વૈશ્વિક સ્તરે ઉદ્યોગનો દરજ્જો મેળવ્યો છે તેમાં ઘડિયાળ ઉદ્યોગનો સિંહ ફાળો છે.

મોરબીનો ઐતિહાસિક ધરોહર સમો આ ઘડિયાળ ઉદ્યોગ ઓક્સિજન પાર નભી રહ્યો છે. જીએસટી અમલી થયા બાદ ઘડિયાળ ઉદ્યોગમાં જે મંદીની શરૂઆત થઇ છે તેને આજદિન સુધી વિરામ લીધો નથી. છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી આ મંદીના લીધે 30 થી 40 ટકા જેટલું પ્રોડક્શન પણ ઘટી ગયું છે. ઘડિયાળ ઉદ્યોગના પર આશરે 60 થી 70 હજાર જેટલા શ્રમિકોની આજીવિકા પર તેની સીઘી અસર જોવા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.