બનાસકાંઠામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં, ખૂબ જ વધારો થતાં મોટાભાગની હૉસ્પિટલો, અત્યારે થઈ ગઈ છે હાઉસફુલ

બનાસકાંઠામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થતાં મોટાભાગની હૉસ્પિટલો અત્યારે હાઉસફુલ થઈ ગઈ છે. જેથી હવે સામાજિક સંસ્થાઓ પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દર્દીઓને સારવાર આપી રહી છે. પાલનપુરમાં પણ આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.

બનાસકાંઠાના  (Banaskantha)પાલનપુરમાં આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરની  (covid care cnter)શરૂઆત કરવામાં આવી છ.  જોકે આ સેન્ટરની ખાસિયત એ છે કે, અહીં આવતા કોરોનાના દર્દીઓને ઇમરજન્સી ઓક્સિજનની જરૂર પડે તો સામાન્ય સંજોગોમાં એક્યુપ્રેશર પદ્ધતિથી તેમને સારવાર આપવામાં આવે છે અને તેનાથી દર્દીઓને લાભ પણ થઈ રહ્યો છે.

એક્યુપ્રેશર વૈદ્ય મૂળદાસ સલાટે જણાવ્યું હતું કે, અત્યાર સુધી 100 લોકોનું ઓક્સિજન લેવલ વધાર્યું છે. આ નિસ્વાર્થ સેવા સંગઠનના સંચાલક નીતિન ઠાકોરે જણાવ્યું હતું કે, અહીં દર્દીઓને વિનામૂલ્યે તમામ સુવિધા આપવામાં આવે છે, એક્યુપ્રેશર દ્વારા ઓક્સિજન ની કમીની પણ સારવાર થાય છે.

આવો પ્રયોગ કરનાર દર્દી મેહુલ ઠાકોરે જણાવ્યું હતું કે, એક્યુપ્રેશર કરવાથી મને ફાયદો થયો છે અત્યારે કોરોના મહામારીના સમયમાં પણ લોકો વર્ષો જૂની પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેવામાં ઓક્સિજન લેવલ વધારવા માટે પણ આ એક્યુપ્રેશર પદ્ધતિ મહદંઅશે કારગત નીવડી રહી છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.