મુખ્યમંત્રી વિજય રુપાણીએ સુરત મુલાકાત દરમ્યાન કરી આ મોટી જાહેરાત,જાણો વિગતે

રાજ્યમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહતો છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા પરંતુ હવે સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોચી ને મેરેથોન બેઠક પૂર્ણ કરી છે. આ બેઠકમાં કલેકટર, પાલિકા તંત્રના અધિકારી, અગ્ર સચિવ ઉપસ્થિત રહ્યા

સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ થયા બાદ સુરતમાં કોરોના વાયરસનો કહેર જોતા સુરતને વધુ 200 વેન્ટિલેટર ફાળવાયાં હોવાની વાત કરી છે. જે આજે સાંજે અથવા કાલે અહી સુરત મોકલવામાં આવશે. જેને અલગ અલગ હોસ્પીટલમાં જરૂરિયાતના હિસાબે અપાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.